SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૮૫ શિષ્ય દ્વારા જે આજ્ઞા મળી હોય તે અગીતાએ પાળવી તથા અતિચારોની શુદ્ધિ કરવી તે આજ્ઞા વ્યવહાર કહેવાય છે. ધારણાવ્યવહાર-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી ગીતાર્થે જે દેષની જે રીતે શુદ્ધિ કરી હોય તે પ્રમાણે યાદ રાખીને વૈયાવચ્ચ કરનારને પ્રાયશ્ચિત આપવું તે ધારણાવ્યવહાર છે. છતવ્યવહાર–પ્રાયશ્ચિત આપતાં સામેવાળાઓનું સંહન. બળ તથા તેમનું ધેય આદિ જોઈ તપાસીને પ્રાયશ્ચિત આપવું તે છતવ્યવહાર છે. આ પ્રમાણે રાગદ્વેષના ત્યાગપૂર્વક પિતાને જેવા પ્રકારને વ્યવહાર મળ્યા હોય તેવા વ્યવહારને કરતે આરાધતો મુનિ આરાધક થાય છે. પાંચે વ્યવહારમાં પૂર્વે પૂર્વેના વિશેષ બલવાન છે. જેમ કે જીત કરતાં ધારણ, તેના કરતાં આજ્ઞા, તેનાથી પણ શ્રુત અને તેનાથી પણ કેવળજ્ઞાનને વ્યવહાર શ્રેષ્ઠ છે. એયપથિકબંધ : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે, હે ગૌતમ! બંધ બે પ્રકારના છે એથપથબંધ અને સાંપરાયિકબંધ. ઈયે એટલે ગમન અને તેને માટે પંથ એટલે રસ્તે તેને ઈર્યાપથ કહેવાય છે. મતલબ કે રાગ દ્વેષ વિનાના જે ભાગ્યશાળીઓ છે તેમને પણ મન-વચન અને કાયાના ગે હોવાથી માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર (ગમન) કરે પડે છે અને જ્યા કિયા છે ત્યાં કર્મ છે. આ કર્મને બધ બે પ્રકારે હોય છે જે ગના વ્યાપારમાં કોઈ પણ જાતનો રાગ નથી, દ્વેષ નથી,
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy