SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૮મું : ઉદ્દેશક-૮ ૨૬૩ આએ કહ્યું કે “તમે અદત્ત આહાર ઉપગ કરે છે. અદત્ત વસ્તુને ગ્રહણ કરવાની અનુમોદના કરે છે, માટે તમે અસંયાતાદિ છે વિરોએ પૂછયું, હે આર્યો! અમે કઈ રીતે અદત્ત વસ્તુને લઈએ છીએ, તેને ઉપયોગ કરીએ છીએ, અનુમેરીએ છીએ અને પ્રાણાતિપાતાદિનું સેવન કરી અમે અસંયતાદિ કેવી રીતે છીએ? ત્યારે અન્ય તર્થિકેએ કહ્યું કે હે સ્થવિરે! તમારા સિદ્ધાંત મુજબ દાતા વડે દેવાઈ રહેલી વસ્તુ અદત્ત કહેવાય છે, તથા ગ્રાહક વડે ગ્રહણ કરવામાં આવી રહી હોય તેને તમે અપ્રતિગૃહીત માને છે. પાત્રની અંદર ક્ષિપ્યમાન (નાખવામાં આવતી વસ્તુ) વસ્તુને તમે અનિસૃષ્ટ (અક્ષિપ્ત) સમજો છે, અર્થાત દીયમાન વસ્તુ કાળની અપેક્ષાએ વર્તમાનકાળવર્તી હોય છે, અને દત્ત અપાઈ ચૂકેલી વસ્તુ ભૂતકાળવતી હોય છે. યદી વર્તમાન ભૂતકાળમાં ભેદ માનવામાં આવે તે તેમનાથી યુક્ત વસ્તુમાં તે બંને કાળની અપેક્ષાએ ભેદ કેમ ન હોય ? એટલે તેમની વચ્ચે પણ ભેદ જરૂર માનવે પડશે. દીયમાન વસ્તુ દત્ત કહેવાતી નથી, માટે તે અદત્ત જ છે અને તમે તે વસ્તુને ગ્રહણ કરે છે, માટે તે સ્થવિર ! તમે અદત્તાદાન ગ્રહણ કરનારા છે. હે સ્થવિરે! તમને લેકેને જે વસ્તુ આપવામાં આવી રહી હોય છે, તે અપાઈ ચૂકેલી અપાતી નથી પણ અદત્ત જ અપાય છે. તેથી જ્યા સુધી તમારા પાત્રમાં નથી પડતી અને વચ્ચે જ તેનું અપહરણ થઈ જાય તે તમારા મતે દાતાની વસ્તુનું અપહરણ તમે માને છે, માટે જ તે વસ્તુ તમારા માટે અદત્ત બને છે આ કારણે જ તમે (જૈન મુનિઓ) અદત્ત વસ્તુને
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy