________________
શતક ૮મું : ઉદ્દેશક-૭
૨૪૫ સ યમી બનીને પિતાના આત્મકલ્યાણ સાથે પરજીનું પણ કલ્યાણ કરાવનાર બને છે. આવા આશયથી આ પ્રશ્નો છે અને જવાબ છે.
વ્યવહારમાં પણ આપણે અનુભવીએ છીએ કે પૈસાને પગારદાર માસ્તર કે પ ડિત પણ અત્યંત કુપાત્ર વિદ્યાથીને વિદ્યાદાન આપતું નથી.
દુકાન પર બેઠેલે વ્યાપારી હિંસક, શરાબી તથા દુરાચારીને પૈસે પણ દેવા માંગતા નથી.
તે પછી મોક્ષને આરાધક ભાગ્યશાલી સત્પાત્રને પિષે તેમાં રતિમાત્ર પણ ખોટું નથી.
બાકી તે અનુકંપાદાન કે ઉચિતદાન દ્વારા દીન-દુઃખી, અનાથ અને બીજા પ્રકારે પણ કર્મોના ભારથી પતિત અને દલિત બનેલાઓના ભરણપોષણ માટે દાનકાને જૈનશાસને નિષેધ કર્યો નથી. માટે જ જૈનશાસન-પ્રવર્તક તીર્થ કરે પણ દીક્ષા અંગિકાર કરે તે પહેલા વર્ષભરને માટે વાર્ષિકદાન દ્વારા દીનદુઃખી-તુલા-લંગડા આદિને લાખ કરોડ રૂપીઆ અને વસ્ત્ર આદિ આપે છે અને ત્યાર પછી જ દીક્ષાને સ્વીકાર કરે છે.
ત્યારે જ શાલીભદ્ર શેઠ અને તંગિયાનગરીના શ્રાવકેના ઘરના દરવાજા સૌને માટે સદૈવ એક સમાન જ ઉઘાડા રહેતા હતાં વસ્તુપાલ અને તેજપાળ જેવા ગુજરાતના મહામંત્રી શ્રાવકોનુ દાન સાર્વત્રિક હતું.
કચ્છ ભૂમિના મહાશ્રાવક જઘડુશાહે ચોરાસી નાતને દાન આપ્યું છે અને સર્વથા ભયકર દુકાળમાં પીડિત માનવ અને . પશુમાત્રને પણ જીવાડ્યાં છે.