________________
શતક ૮મું : ઉદ્દેશક–૭ મુનિરાજોની વૈયાવચ્ચના ફળ
સંબંધી પ્રનત્તર :
પચ મહાવ્રતધારી મુનિરાજના ચરણ સાન્નિધ્યમાં રહીને દર્શાન-જ્ઞાન અને ચારિત્રપૂર્વક શ્રાવક ધર્મની આરાધના કરનાર ગૃહસ્થને શ્રમણોપાસક કહેવાય છે, જે ચતુર્વિધ સંઘમાં ત્રીજા નંબરે છે. જેથી પોતાની શક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે પૂરા ચતુર્વિધ સંઘના વેગક્ષેમ માટે જવાબદાર બનીને, બાળ, ગ્લાન, વૃદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય આદિ મુનિરાજોની અને સાધ્વીજી મહારાજાઓની વૈયાવચ્ચમાં જ પિતાને ધર્મ સમજે છે, જે ઉત્કૃષ્ટતમ ધર્મ છે.
અડિંસા, સંયમ અને ધર્મની પૂર્ણ આરાધના કરનાર મુનિરાજે હંમેશાને માટે સેવ્ય-પૂજા-આરાધ્ય–વદનીય અને નમનીય છે. જ્યારે શ્રમણોપાસક શ્રાવક હંમેશાને માટે મુનિરાજેનો સેવક, પૂજક, આરાધક તેમજ તેમને ભાવપૂર્વક વંદન અને નમસ્કાર કરનારો જ રહે છે. આ કારણે સાત્તિવક શિરેમણ શ્રમણોપાસક પિતાની મન-વચન અને કાયાની પૂર્ણ શક્તિ લગાડીને મુનિરાજેની વૈયાવચ્ચ કરે છે.
દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીને ગૌતમસ્વામીજી પૂછે છે કે પ્રભો !
પ્રશ્ન-૧. તથા પ્રકારના મુનિરાજોને પ્રાસુક તથા એષણય અશન–પાન-ખાદિમ અને સ્વાદિમ પદાર્થોથી પ્રતિલાલે તે શ્રાવક શું કરે? અર્થાત્ વૈયાવચ્ચ કરનાર શ્રાવકને શું ફળ મળે?