SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પાપકર્મો જેમ અનંતાનંત છે તેમ તેના અધ્યવસાયે પણ અનંતાનંત છે, માટે મેહ અને માયાને વશ બનેલે જીવાત્મા અનાદિકાળથી પ્રાણાતિપાતના કોઈપણ ભાંગાને સમજદારીપૂર્વક સ્પશી શક્યા નથી. સમ્યગુદર્શનની પ્રાપ્તિ થતાં જ જીવાત્મા પાપના અધ્યવસાય ઉપર કંટ્રોલ કરી શકવા માટે સમર્થ બને છે અને જેટલા અંશેમા સમર્થતા આવે છે તેટલા અંશેમાં પ્રાણાતિપાત વિર મણ કરતે સેનાના સુરજ જે એક દિવસ એવો પણ આવી જાય છે જ્યારે જીવહિંસા પિતે મન-વચન અને કાયાથી કરતા નથી, કરાવતા નથી અને બીજા હિંસક માણસોના પાયકાર્યોને અનુદતે પણ નથી, અને તેમ કરતાં વિરતિને સ્પર્શ જેમ જેમ વધતો જાય છે, ત્યારે ભૂતકાળમાં થયેલી હિંસાને પણ નિંદે છે. વર્તમાનકાળમાં પ્રાણાતિપાતને સંવર કરે છે અને ભવિષ્યકાળમાં ફરીથી પ્રાણાતિપાત ન થાય તે માટે આત્મામાં જબરદસ્ત જાગૃતિ લાવે. આવી રીતે ત્રણે કાળના ૪૯૪૪૯૪૪૯=૧૪૭ ભાંગા થાય છે. , આ રીતે મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈિથુનવિરમણ અને પરિગ્રહવિરમણ માટેના ભાંગા ઉપર પ્રમાણે સમજી લેવાના છે. સારાંશ કે જ્યાં સુધી જીવને સમ્યગુદર્શન ન થાય ત્યાં સુધી તેના જીવનમાં પાપની નિવૃત્તિ હોતી નથી અને તેના સદુભાવમાં પણ વિરતિને સંભવ તત્કાળ થતું નથી. પણ જેમ જેમ સમ્યગદર્શન શુદ્ધ થતું જાય તેમ તેમ પાપની વિરતિ સુલભ બને છે. માટે ભાગ્યશાળીઓ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે પાપ સર્વથા નિરર્થક હોય તેને ત્યાગ સૌથી પહેલાં કરે. ત્યાર પછી
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy