________________
શતક ૮મું : ઉદ્દેશક-૬ -
૨૨૭ સમયે ગોશાલાના ભક્તો ચાલતા રસ્તે મહાવીરના શિષ્યોને ભેટી - પડતા ત્યારે કંઈને કંઈ ચર્ચા પણ કરી લેતા હતાં. પણ કડવી તુ બડીના બી માંથી જેમ અમૃતફળની પ્રાપ્તિ થતી નથી તેમ ગોશાલે દિન-પ્રતિદિન સર્વથા નિર્વસ–પરિણમી થતો ગયો,
અનુભવીઓ પણ કહે છે: “પિતે સર્વથા કુપાત્ર હોય અને સાથે થોડું પુણ્ય મળી જાય તો તે વ્યક્તિ પોતાને માટે, કુટુંબને માટે અને આખા સમાજ તથા દેશને માટે કાળા નાગ કરતાં વધારે ખતરનાક બને છે.” ગોશાળાની પણ એ જ દશા હતી
આ ઉદ્દેશામાં તેના ભક્તોની ભગવાનના શિષ્યો સાથે જે ચર્ચા થઈ છે તેના નિર્ણય માટે ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું છે તેને સાર આ છે:
ભગવાન મહાવીર સ્વામીના શ્રમણોપાસકે (શ્રાવકે) શિક્ષા વ્રત, અણુવ્રત અને ગુણવ્રત સ્વીકારેલા હોવાથી સાવદ્ય ત્યાગી અને પ્રત્યાખ્યાની છે. આવી પરિસ્થિતિમાં તેઓ જ્યારે બેઘડીનું સામાયિક વ્રત સ્વીકાર કરે છે, ત્યારે સામાયિક સ્વીકારતા પહેલા ઉતારેલા પિતાના વસ્ત્રો, આભૂષણે આદિ પદાર્થોને પણ ત્યાગ કરે છે. હવે ત્યાગી દીધેલા તે વસ્ત્રો તથા આભૂષણેને યાદી બીજે કઈ માણસ ચેરીને ચાલ્યા જાય, ત્યાર પછી સામાયિક વ્રતધારી પોતાની સામાયિક સમાપ્ત થયે, પોતાના ઉતારી દીધેલા વસ્ત્રોની શોધ કરે છે, ત્યારે તે શ્રાવક પિતાના વસ્ત્રોની શોધ કરે છે કે બીજાના વસ્ત્રોની ? કેમ કે સામાયિક લેતા તે શ્રાવકે પિતાની બધી વસ્તુઓનો ત્યાગ કરેલ હોવાથી તે પદાર્થો હવે તેના રહેતા નથી, અને જે પદાર્થો પિતાના નથી તે બીજાના થયા કહેવાય છે