________________
૧૯
અને પોતાના વિશાલજ્ઞાન અને ચારિત્રથી આજે મુંબઈમાં પણ આદરણીય બન્યા છે
ભગવતીસૂત્ર સાર સ ગ્રહ ભાગ-૨ તે તેમને સ્વતંત્ર ગ્રંથ છે અને તે તેમણે ખૂબ પરિશ્રમ લઈને તૈયાર કર્યો છે.
તેમની વિદ્વત્તાની ઝાંખી કરાવનાર એક-ફકરો અહીં ટાંકું છું નવમા શતકના ૩૧મા ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ ભ૦ મહાવીરસ્વામીને પૂછેલા બે ધિલાભની પ્રાપ્તિના સ બંધમાં સ્વતંત્ર વિવેચન કરતાં પંન્યાસજી મહારાજ લખે છે કે
“અનાદિ અનંત સંસારમાં ચક્રવર્તીપદ કે ઈન્દ્રપદ પણ ઉત્કૃષ્ટતમ પુણયના ચેગે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ ધિલાભ માટે પુણ્યબળ કામ નથી આવતું, પણ પિતાની મેક્ષાભિલાષિણી પુરૂષાર્થ શક્તિ જ કામમાં આવે છે કારણકે સંખ્યાતા–અ સંખ્યાતા ભવમાં ઉપાજિત કરેલી અને અનંતાનંત કર્મોના કારણે ભેગી થયેલી અનંતાનુબંધી કષાની મેહુમાયાને ભગાડી મૂકવા માટે કે દબાવી દેવા માટે આમાનું અનિવૃત્તકરણ જ મુખ્ય કારણરૂપે હોય છે
પુરુષાથી બનેલે આત્મા અનંતાનુબંધી કષાયની માયા સાથે જ્યારે જબરદસ્ત રણમેદાન ખેલીને કાળી નાગણ કરતાં પણ ભયંકર આ માયાનાગણને દબાવી દે છે, ત્યારે તે માયાની શક્તિ લગભગ મોટા ભાગે ક્ષીણ થતાં એક કેડીકેડી જેટલાં કર્મો શેષ રહે છે, અને શેષ ક્ષીણ થાય છે તે સમયે આત્મામાં જ્ઞાનને પ્રકાશ પ્રગટે છે જે અભૂતપૂર્વ હોય છે આ પ્રકાશ પામેલ આભા જ બાધિલાભને માલિક બને છે.”
ગૃહસ્થાશ્રમની પૂર્વભૂમિકા રૂપ શ્રાવકે શ્રાવકધર્મના ૨૧ ગુણે અને માર્ગાનુસારીના ૩૫ ગુણેને જીવનમાં ઉતારવા જોઈએ તે માટે તેઓશ્રી અગ્યારમા શતકના બારમા ઉદ્દેશકમાં માર્મિક વિવેચન કરતાં લખે છે કે :