________________
૨૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઘણા ભવે સુધી આ કર્મને ભોગવતા જેમ જેમ કર્મની નિર્જરા થાય છે તેમ તેમ આ જીવાત્માને ઘણી ઘણી જાતની લાભની લબ્ધિઓ પણ પ્રાપ્ત થતી જાય છે. ત્યારે જ તે માનવને મનગમતા ભેજનીયા, હાટ-હવેલી, આંખને ગમી ગયેલા કપડાંઓ, આભૂષણો, પુત્ર–પરિવાર આદિની પ્રાપ્તિ થતી રહે છે. ૭. ભેગલબ્ધિ :
ભોગાન્તરાય કર્મના ક્ષયે કે ક્ષપશમે જીવાત્માને આ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જેનાથી ખાન-પાનના ભગવટામાં અંતરાય નડતું નથી. અન્યથા ગરમા ગરમ રસોઈ તૈયાર છે, પણ આ કર્મના કારણે તે જ સમયે બીજા નિરર્થક કાયે એવા આવી પડે છે, જેને લઈને ઠંડા થઈ ગયેલા રેટલા જ માડ માંડ ગળે ઉતારવા પડે છે.
ગજવામાં બુદ્ધદેવને શૂન્યવાદ હોય ત્યારે માણસને ઈચ્છિત ભેજનીયા પણ કયાં મળે છે?
આ કર્મની ઉપાર્જના આ પ્રમાણે થાય છે –
સ્વાર્થ અથવા શ્રેષવશ બીજાના રોટલા-પાણી છિનવી લેવા, પિતાના પાંચ રૂપીઆના સ્વાર્થ માટે બીજાઓના હજારોલાખ રૂપીઆનું નુકશાન કરવું, તેમજ સર્વથા દીન-દુઃખી અને ગરીબના ઘરબાર વેચાવી મારવા જેનાથી તેને બાલ-બચ્ચાએને ભૂખે મરવું પડે.
પિતાના નાના કે મોટા ભાઈના ભાગમાં આવેલી રકમ, ઘર, દાગીના આદિને પોતાની વાક્ચાતરીથી હડપ કરી લેવા, જેથી ભાઈના કે કાકાના છોકરાઓને ભૂખે મરવા દિવસે જેવા પડે,