________________
૧૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જ્ઞાન કહેવાય છે, જેમ સામે દેખાતા માણસ રાજસ્થાની હેવા જોઇએ કેમકે તેણે પહેરેલા કપડા રાજસ્થાની ઢળના છે. ચાખેલે પદાર્થ માસ`ખીના રસ હૈાવા જોઈએ તેમ સાંભળેલા શબ્દ અમુક પુરુષને હાવા જોઇએ ઇત્યાદિ.
અવાય—પદાને સંપૂર્ણ નિશ્ચય થાય તેને ‘અવાય’ જ્ઞાન કહેવાય છે. જેમ કે જોવાયેલે માણસ રાજસ્થાની જ છે, ચાખેલા પદાર્થ' માસ’ખીનેા રસ જ છે, સ્પર્શાયેલી વ્યક્તિ મારી સ્ત્રી જ છે અને સંભળાયેલા શબ્દ અમુક મંડળીના અમુક ભાઇના જ છે આદિ.
ધારણા—ઉપર પ્રમાણે નિીત થયેલા જ્ઞાનને ફરીથી ભૂલી જવાય તેમ મસ્તિષ્કમાં ધારી લેવાય તેને ધારણા જ્ઞાન કહેવાય છે આ પ્રમાણે સમ્યક્ મતિજ્ઞાન (આભિનિાધિક ) થવામાં ઉપરના ચારે કારણેા છે અને તે ક્રમવાર છે સૌથી પહેલા અવગ્રહ થશે, પછી ઇડા, પછી અવાય અને છેવટે ધારણા.
અવધારિત—ધારણા રૂપે કરાયેલા પદાર્થાંમાં યદ્યપિ તત્સમયે જ સ્પષ્ટ જ્ઞાન ભલે થતુ હાય ! ય સૂક્ષ્મરૂપે પણ અવગ્રહે આદિ હાય જ છે. આ જ્ઞાન થવામાં મતિજ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મના ક્ષયાપશમ મુખ્ય કારણ છે.
શ્રુતજ્ઞાન—જે સાંભળાય તે ‘શ્રુત’ એટલે શબ્દ સભળાયેલા તે શબ્દો ભાવશ્રુતના કારણુ હાવાથી શબ્દો પણ શ્રુતજ્ઞાન છે. કારણમાં કાર્યોં ના ઉપચાર કરવાથી શબ્દો પણ શ્રુતજ્ઞાન જ કહેવાય છે. ઇન્દ્રિયે! અને મનના કારણથી આગમશ્રુત ગ્રંથાનુસારી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. આમાં શ્રુતજ્ઞાનાવરણીય કા ક્ષયે પશમ મુખ્ય કારણ છે.