SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્ર 1. પરિગ્રહને માટે કે પિતાના અહને પિષવા માટે આ બને સાહુઓ રણમેદાને ચઢ્યા, તુમુલ યુદ્ધ થયું, દધિવાહન રાજા હાર્યો અને માર્યો ગયે. ફળસ્વરૂપે તેની પુત્રી વસુમતી (ચંદનબાળા) જે ચેટક મહારાજાની દોહિત્રી અને ભગવાન મહાવીર સ્વામીની મામાની પુત્રી હેનની પુત્રી થતી હતી, તેનું ભરબજારે લીલામ થયું. ધનાવહ શેઠને ત્યાં તે દાસીરૂપે રહી, જેના હાથે ભગવાન મહાવીર સ્વામીને અમિગ્રહ પૂર્ણ થયા અને ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી બન્યા. જે ઘટના જેમાં સુપ્રસિદ્ધ છે. - - આ તરફ ધર્મહીન શતાનિક રાજા પણ મરણ પામ્યા. આ બધી વાતો ભગવાન મહાવીરના છસ્થકાળની છે | અભિગ્રહનું પરિણામ એ આવ્યું કે ગુપ્ત વ્યભિચારને પિષણ દેનારી ગુલામી પ્રથાએ છેલ્લે શ્વાસ લીધા અને રાજામહારાજા–શ્રીબ તા વગેરેમાં સદાચારની ભાવના જાગૃત થઈ. છેવટે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું મહાન પંડિત અને મહાપંડિતે જેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા, ઊંચા પ્રકારના વાદી અને પ્રતિવાદીઓ હતા, પિતાની જાતને બ્રહ્મજ્ઞાની માનનારાઓ હતા-તે બધા મોટી સંખ્યામાં ભગવાનના જ્ઞાનથી અંજાઈને તેમના શરણે આવ્યા અને પ્રવજિત થયા રાજા-મહારાજાઓ પણ પ્રભાવિત થયા અને અહિંસક બન્યા હિંસા, માસાહાર, શરાબપાન આદિ પાપને ત્યાગ કરી જૈનધર્મના અહિંસા ધર્મના પૂરા પૂજારી બન્યા. કેટલાકે એ વાત પણ અગકાર ક્ય ચેટક રાજાની પુત્રી ચેલૂણ જે મગધના મહારાજા શ્રેણિકને પરણી હતી તે સ્વભાવે ઘણી જ સુંદર અને અહિંસા ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાળુ હોવાથી પોતાના પતિ શ્રેણિકને પ્રૌઢ અવસ્થામાં
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy