________________
શતક ૭મું : ઉદ્દેશક-૧ ભાવે પણ જે મુનિમા ત્રણે રને વિદ્યમાન હોય છે તે ગમે તેવી સ્થિતિમાં હોય તે પણ ઉત્સુત્ર એટલે સૂત્ર વિરુદ્ધ ચાલનારા હેતા નથી. આવી પરિસ્થિતિમાં જૈનશાસનને પામેલા જે સંપ્રદાના પ્રવર્તક મહાવ્રતધારી હોય, તપસ્વી હોય અને આશ્રવમાર્ગને છેડી સંવરભાવમાં વિદ્યમાન હોય તેવા કેઈપણ જૈન સંપ્રદાયને ઉસૂત્ર પ્રરૂપક શી રીતે કહી શકાય?
અહિયા, સંયમ અને તપમાં રમણ કરનારાઓની ક્રિયાઓ જુદી જુદી હોઈ શકે છે. ક્રિયાકાંડોની એકરૂપતા તે તીર્થકરની હાજરી કાળમાં પણ હોતી નથી. તેથી જ કહ્યું છે કે–પેદા જ સર્વત્ર ત્રિયાઇg fમવી ક્રિયાની વિધિના ભેદે હમેશા રહ્યા છે પરંતુ કિયાના ભેદોને લઈને પરસ્પર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભને સેવવામાં અવશ્યમેવ ઉસૂત્રતા રહેલી હોય છે
સમ્યગદર્શન આદિ ત્રણે આત્માના ગુણો છે તેને કેઈપણ આત્મા કેળવી શકે છે–આરાધી શકે છે, ત્યારે તેમને પણ મિથ્યાત્વી કે નાસ્તિક કહી દેવામાં એકાંતે ઉસૂત્રપ્રરૂપણા રહેલી જ છે આમ છતાં પણ પોતાની પ્રરૂપણાને જ જૈન શાસ્ત્રાનુ મારી મનાવી બીજા મહાપુરુષોને ઉત્સુત્ર પ્રરૂપક કહેવા તે પણ મિથ્યાત્વ જ છે માટે ગમે તેવી સારી પ્રવૃત્તિ કરતાં પણ જે સાધકને ક્રોધ-માન-માયા અને લેભને ઉદય રહેતો હોય તે તેવા સૂત્રાનુસારી સાધકે તે તે પ્રવૃત્તિ માર્ગ જ સર્વથા છોડી દે જોઈએ, અને મૌન ધારીને આત્મ-સાધનામાં મરત બનવુ જોઈએ ગૃહસ્થાશ્રમીઓને વધારે પડતે સ સર્ગ અને તેમની માયા-પ્રપચ ભરેલી વાતમાં મુદલ રસ નહીં લેનારે સાધુ જ સૂત્રાનુસાર ચારિત્ર પાળી પિતાના આત્માને ઉન્નત બનાવી શકે છે. સૂત્રાનુસારીની આ જ વ્યાખ્યા જેનાગમ સૂત્રને માન્ય છે.