SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અમુક અપવાદ સિવાય મેં લેખનકાર્યને પ્રારંભ કર્યો જેમાં પાલના સ ઘને સહકાર મલ્યા અને ભગવતીસૂત્ર સારસંગ્રહના બીજા ભાગ માટેની તૈયારીના શ્રી ગણેશ મડાયા. બે મહિનાની સ્થિતિ દરમ્યાન મનને મ તેષ થાય તેટલા પ્રકરણ લખાઈ ગયા અને સાતાક્રુઝ સઘની વિનંતીથી હુ ત્યાના ઉપાશ્રયે આવ્યા. પરિસ્થિતિવશ મારે ૧૧૦ દિવસની સ્થિરતા કરવી પડી. વિશાળ ઉપાશ્રય. એકાત વાતાવરણ અને સાથોસાથ સ ઘના ટ્રસ્ટીઓની સજીનતા, ઉદારતા અને પ્રેમાળદષ્ટિને લઈલેખનકાર્ય આગળ ચાલ્યું. આઠમું અને નવમું શતક ત્યાં જ લખાયુ અને પ્રેસપી પણ તૈયાર થતી ગઈ તે દરમ્યાન મુલુંડ સંઘની વિનંતીથી ચાતુર્માસ માટે મુલ ડઆવ્યો. જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના પ્રશિષ્ય મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ.ની સેવાએ મને ખૂબ જ રાહત આપી. ગેચરી પાણીથી લઈને બીજી બધી સેવાને ભાર તેમણે સ્વીકારી લીધું અને છુટા પડ્યાં ત્યાં સુધી તેમની સેવા મારા માટે ઘણું જ આનંદદાયક રહેવા પામી છે. મુલુંડના ચાતુર્માસમાં મારા લેખન કાર્યમાં શીવ્રતા આવી અને દસમું તથા અગ્યારમું શતક અપવાદ સિવાય પૂર્ણ લખાઈ ગયા. ચાતુર્માસાન્તર પનવેલનગરથી સંઘના ટ્રસ્ટીઓ સાથે શેઠ ખીમરાજ લાલચંદજી પરમાર પિતાના ગામમાં જ ઉપધાન કરાવવા માટેની વિનંતિ કરવા મુલુંડ મુકામે આવ્યા અને લાભાલાભને પ્રસંગ જોઈને અમારે પનવેલ જવું પડયું ત્યાં પૂનાથી પધારેલા મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી આદિ ઠાણા ચાર અને સાધ્વીજી મહારાજ શ્રી વિદ્યુપ્રભાશ્રીજી તથા કનકપ્રભાશ્રીજી અને સૂર્યપ્રભાશ્રીજી આદિ ઠાણું ૩૦ સાથે વાજતે ગાજતે ગામમાં પ્રવેશ કર્યો. અને ઉપધાનતપને મંગળમય પ્રારંભ થયે અને ફાગણ સુદિ ૪ને માળારોપણ મહોત્સવ પતાવીને અમે કોટના ઉપાશ્રયે આયંબિલની ઓળી આરાધના પૂર્ણ કરાવી. " ટે ઘણી જ માં શ aખાઈ ગયા
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy