SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યારે જ તે મરણ પામતા ઘણા જીવોને આપણે જોઈએ છીએ કે-જીવનનો દીપક બુઝાવવાની અણી પર જ આંખના પલકારે શ્વાસમાં અવરોધ આવે છે અને આસપાસના માણસે નિર્ણય કરી લે છે કે-ભાઈ મરી ગયા” અને ડીવાર પછી તરત જ શ્વાસ પાછો ચાલતે જોઈએ છીએ ત્યારે આપણું માન્યતા ખોટી પડે છે. આમાં ગમે તે થતું હશે? પણ થાય છે જરૂર. ત્યારે કેવલી ભગવંતના શાસનના આધારે જ આપણને ખબર પડે છે, આયુષ્યકર્મને ઉપાર્યા પછી પિતાને જ્યાં જન્મ લેવો છે, તે સ્થાનને આ આત્મા મરણ સમુદ્રઘાત વડે જોઈ આવે છે અને પાછા મૂળ શરીરમાં આવીને શેષ રહેલી અશાતાને ભેગ વતો આ ભવને છેલ્લે શ્વાસ પૂર્ણ કરી જે સ્થાને જન્મવું છે, ત્યાં તે જ સમયે અથવા વધારેમાં વધારે ચાર સમયે પહોંચી જાય છે. અને આહાર ગ્રહણ કરી ભેજનને પચાવી આવતા ભવમાં ધારણ કરવાના શરીરનું નિર્માણ કરવામાં લાગી જાય છે આમ એક ભવની માયાને ન છૂટકે છોડવી પડે છે અને બીજા ભવની માયા માટે શ્રીગણેશ મંડાય છે. સારાંશ કેકર્મસત્તાની આગળ સર્વથા રાંક બની ગયેલે આત્મા પિતે સર્વથા પરવશ બની કર્મોના નાટક રચ્યા કરે છે. મહાપુણદયના રોગથી મેળવેલા મનુષ્યભવમાં આ સંસારની માયા લપસણી ભૂમિ જેવી હોય છે જેમકે વિના પરિશ્રમ કરોડાધિપતિ થવાની ભાવનાવાળા માણસ મુંબઈના સટ્ટા બજારમાં
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy