________________
[૩૭
-શતક-૧ લું ઉદ્દેશક-૩] સર્વકાળે સત્ છે–વિદ્યમાન છે. આસ્તિત્વરૂપ છે; જ્યારે મનુષ્ય અશ્વરૂપે સર્વકાળે અસત્ છે. -
- વળી જે વસ્તુ અસત્ રૂપ હોય છે, તે કોઈ કાળે સત રૂપ થતી નથી. જેમકે શશશંગ. આવી જ રીતે જે સત્ રૂપ
છે તે અસત્ રૂપ ન થાય. જેમકે અપટ એ અપટપણામાં જ , રહે, પટમાં નહિં . * *
ક ૧૦ અને સારાંશ આ છે કે અમુક અપેક્ષાને લઈને વ્યમાં અસ્તિત્વ (વિદ્યમાનતા) અને નાસ્તિત્વ (અવિદ્યમાનતા)ના પર્યાયાની વિચારણે અનુભવ સિદ્ધ છે. અથવા તો કવ્ય માત્રનો સ્વભાવ જ આવે છે. જેથી તે પદાર્થોમાં અમુક પર્યાનું અસ્તિત્વ અને અમુક પાનુ નાસ્તિત્વ અપેક્ષાએ સ્વત સિદ્ધ છે. જ્ઞાતા પોતે પણ એક દ્રવ્યના અનત પર્યાયે એક સમયે જાણવા માગત નથી તેથી કઈ પણ પદાર્થના યથાર્થ જ્ઞાનમાં અપેક્ષાદષ્ટિ સાપેક્ષવાદ જ સહાયક બને છે.
- ઘડે ખરીદનાર માણસ દુકાનદાર પાસે જઈને, આ પ્રમાણે કહે છે—મારે અમદાવાદની માટીને લાલ રંગને માગસર મહિનામાં ઘડાયેલે ઘડે ખરીદવો છે. ત્યારે ખરીદનારના મસ્તિષ્કમાં અસંખ્યાતા ગામના કાળા, પીળા તથા ધોળા રંગના, પિક મહિનાથી લઈને કાર્તિક મહિના સુધીમાં ઘડાયેલા ઘડાઓ જે જુદા જુદા દ્રવ્યોના બનેલા હોય છે, છતાં પણ ખરીદનાર જ્ઞાતા પિતે જાણવા માગત નથી અને પોતાની ઈચ્છિત વસ્તુની જ માગણું કરે છે, ત્યારે આપણે માનવું પડે છે કે એક ઘડામાં દ્રવ્યને લઈને માટી દ્રવ્યની વિદ્યમાનતા છે અને સુવર્ણ, ચૌદી આદિ દ્રવ્યની અવિદ્યમાનતા છે. ક્ષેત્રથી અમદાવાદી ઘડે છે, ત્યારે પાટણ-ખંભાત આદિ ક્ષેત્રની વિદ્યમાનતા નથી. કાળથી માગસર મહિનાની બનાવટ છે, બીજા