SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ [ભગવતીસૂત્ર સારસંગ્રહે તેમાં શૂન્યકાળ નથી, મનુષ્ય અને દેવેને ત્રણે પ્રકારનાં બતાવવામાં આવ્યા છે. આવી રીતે અંતક્રિયા, ઉપપાત અને અસંતિઆયુષ્ય સંબંધી પ્રશ્નોત્તરે, પછી આ ઉદ્દેશો સમાપ્ત થાય છે. કાંક્ષા મેહનીય આ ઉદ્દેશકમાં અનેક વિષયે અતિ મહત્વના છે. કાંક્ષામેહનીય, અસ્તિત્વ–નાસ્તિત્વ, કાંક્ષામહ બંધાદિ, નરયિકાદિ અને શ્રમને કાંક્ષામહ, એ આ ઉદ્દેશકની ખાસ બાબતો છે. કાંક્ષામેહનીય કર્મ જીવકૃત છે કે ? એ પ્રશ્નથી શરૂઆત થાય છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે-કાંક્ષા મેહનીય એ પણ એક પ્રકારનું કર્મ છે, જે કરાય છે, તે કર્મ કહેવાય છેકાંક્ષા મેહનીય પણ જીવ કરે છે, અતએ તે પણ એક કર્મ છે. મેહનીય કર્મને તે સૌ કોઈ જાણે જ છે કે જે મેહ પમાડે છે. મુંઝવે છે, એ મેહનીય છે. આ મેહનીય કર્મના બે ભેદ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એક ચારિત્રમેહનીય અને બીજુ દર્શનમેહનીય. “કાંક્ષા એનું નામ છે કે–જુદા જુદા મો–દર્શનેની ઈચ્છા કરવી. એ તેનું પણ ગ્રહણ કરવું. આ “કાંક્ષા મેહનીય’ એ મિથ્યાત્વ મેહનીય છે. એક મત ઉપર શ્રદ્ધા ન રાખતા જુદા જુદા મતોનું અવલંબન લેવું, એનું નામ છે મિથ્યાત્વ. “શ્રદ્ધા” તે એકમાં જ હોઈ શકે. આ “કાંક્ષા–મેહનીય પણ કરાય જ છે. માટે જ તે કર્મ છે. એને કરવાની ક્રિયા જુદી જુદી રીતે થાય છે. એ અનુલક્ષીને વિવરણકારે એના ભેદો પણ બતાવ્યા છે –
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy