SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] ભિગવતીસૂત્ર સારસંગ્રહ, પરવશતાને લઈને ઈચ્છા વિના ભૂખ, તરસ, સહન કરવો પડે છે, બ્રહ્મચર્ય પાળવાની મુદલ ઈછા નથી, છતાં સંજે નહિ મલવાથી બ્રહ્મચર્ય ફરજીયાત પાલવું પડે છે, ઈત્યાદિ વગર ઈચ્છાએ જે હાડમારીઓ ભોગવવી પડે છે, તે કારણથી પગ કર્મો ક્ષય પામતાં જાય છે, તે અકામ નિર્જરા કહેવાય છે. જ્યારે ગુરુ-ઉપાસના, ધર્મ-શ્રવણ, જ્ઞાન, વિરતિ તથા પ્રત્યાખ્યાન આદિ ધાર્મિક કૃત્યો પ્રત્યે અત્યન્ત શ્રદ્ધાલુ માણસ પિતે પરવશ કે દરિદ્ર હોવા છતાં પણ જ્ઞાન અને વિવેક પૂર્વક ભૂખ—ખાસ વગેરે બધી હાડમારીઓ સમતાથી સહન કરશે, અકૃત્યોને સમજીને છોડી દેશે. અને પિતાના આત્મધર્મમાં સ્થિર થઈને પૂર્વ ભવના પાપ અને અંતરાને હસતે મુખે ભગવરો તે સકામનિ જેરા કહેવાય છે. તથા પૈસે ટકે સુખી માણસે પણ ભાગ્ય તથા ઉપભોગ્ય પદાર્થોમાં જાણું બુઝીને મર્યાદા કરશે. તથા ઢગલાબંધ બંધાતા નિરર્થક પાપોને અનર્થદંડ વિરમણવ્રત દ્વારા રોકવાનો ભાવ રાખશે. અને તેમ કરીને હિંસક ભાવમાંથી અહિંસક ભાવમાં, દુષ્કૃત્યોને છોડી સંયમ ભાવમાં તથા ભોગ વિલાસને મર્યાદિત કરીને ત્યાગ તથા તપે ધર્મ પ્રત્યે અનુરાગી બનશે. તે ભાગ્યશાલીઓ પણ સકામ નિર્જરાના સ્વામી બનીને પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે સમર્થ બનશે. ઉપર પ્રમાણેના નવે પદમાં ભિન્ન ભિન્ન વ્ય જનો અને સ્વરો હોવા છતાં તે સમાનાર્થ છે? કે ભિન્નાર્થ છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે – ૧. ચાલતું હોય તે ચાલ્યું. ૨, ઉદીરાતું હોય તે ઉદીરાયું. ૩. વેદાતું હોય તે વેદાયું. * ૪. પડતું હોય તે પડ્યું.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy