SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧ હું ઉદ્દેશક-૧] લાવી શકાય છે. તે પ્રમાણે અશુભ કર્મોમાં જે તીવ્ર રસ (કર્મોની ફળ દેવાની તીવ્રતા) હતા તેને પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત દુષ્કૃત્યોની વારંવાર આલેચનાથી તીવરસવાળાં કર્મો પણ “અપવર્તનો કરણથી મન્દરસવાળા કરાય છે અને મન્દરસવાળાં કર્મો ઉદ્વર્તના” કરણર્થ -તીત્રાસવાલા પણ બની જાય છે. * * * તાત્પર્ય એ છે કે શુભ અને શુદ્ધ ભાવનામાં રહેવાવાલે આત્મા પ્રતિ સમયે શુભ કર્મો તો બાંધે જ છે સાથે સાથે શુલ ભાવનાને લઈને પહેલાના બાધેલા અશુભ કર્મોનો રસ પણ મને કરતો જાય છે. અને ભાવનાનો રંગ જે તીવ્ર બની જાય તો અશુલ કર્મોના મૂળીયા પણ કાપતો જાય છે તેનાથી વિપરીત હિંસા, જૂછે પ્રપંચ, વ્યભિચાર, પરિગ્રહ આદિ અશુભ ભાવનામાં રાત-દિ મસ્ત રહેનારે આત્મા પ્રતિ સમયે અશુભ (પાપ) કર્મોનો સંગ્રહ કરતો રહે છે સાથે સાથે પહેલાના બાંધેલા શુભ (પુણ્ય) કર્મોને પણ અશુભ કરે છે બળતુ બળાયુ' એટલે અગ્નિવંડે દગ્ધ થયેલા લાકડા કાષ્ટરૂપને છોડીને જેમ ભસ્મરૂપ થાય છે, તેમ શુભ ધ્યાન તથા શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિવડે કમરૂપી ઢગલાબ ધ કાષ્ટસમૂહ પણ ખાખ થઈ જાય છે. મરતુ મરાયુ” એટલે આવીચિક મરણવડે આ જીવાત્મા જન્મના પ્રથમ સમયથી પિતાના આયુષ્યકર્મનાં દલિને ભોગવી રહ્યો છે અને ૭૦ વર્ષની ઉન્ને કર્મનો છેલ્લે અશ ભોગવીને તે માણસ મરણ પામે છે વ્યવહારને ભલે આપણે કહીએ કે આ માણસ ૭૦ મા વર્ષે મર્યો, પરંતુ આ કર્મના દલિકે બધા એકીસાથે ૭૦ માં વર્ષે જ નથી ગવાતા, પણ જન્મથી લઈને પ્રતિ સમય ભોગવતા કર્મ દલિકે ૭૦ મા વર્ષે પૂરા થાય છે. આ પ્રમાણે બાંધેલું આયુષ્ય કર્મ પ્રતિક્ષણ ક્ષય પામતું હોય છે
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy