________________
،
પ્રશ્નોત્થાન
ભગવતીસૂત્રના પહેલા સૂત્રમાં મંગલાચણુ અને ખીજામાં અભિધેય–કથનીય વસ્તુને નામેાલ્લેખ કર્યાં પછી ત્રીજા સૂત્રમાં ભગવાને કયાં રહીને દેશના આપી ? શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરો આપ્યા ? તે ખતાવ્યું છે અને તે પછી ગૌતમસ્વામીએ કેવા વિવેકપૂર્વક એ પ્રશ્નો પૂછેલા છે, એ જણાવવામાં આવ્યુ છે. આ ઉપરથી સમજી શકાય છે કે—
રાજગૃહ નગરીની બહાર, ઉત્તર-પૂર્વ અર્થાત્ ઈશાન -ખુણામાં આવેલા ગુણશીલચૈત્યમાં સમવસરણની રચના થઈ, અને ભગવાને તેમાં વિરાજમાન થઈ ને ઈન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે મૂળસૂત્રમાં આ વખતે રાજગૃહૅ. નગરીમાં રાજ્ય કરતા રાજાનું નામ શ્રેણિક અને તેની રાણીનુ નામ ચિલ્લણાદેવી આપ્યુ. છે. ‘સૈનિવ યા ચિત્તુળદેવી”.
પ્રશ્નકાર ગૌતમસ્વામીને પરિચય આમ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર દેવના હૅાટા શિષ્ય, ગૌતમગાત્રવાળા, સાત હાથ ઊંચા, સમર્ચારસસસ્થાનવાળા, વઋષભનારાય સંઘયણવાળા, ઉગ્રતપસ્વી, ઉદાર, ઘેારબ્રહ્મચર્ય માં રહેવાના સ્વભાવવાળા, ચૌદપૂર્વના જ્ઞાતા, અને ચાર જ્ઞાનને પ્રાપ્ત વગેરે.
શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્નો પૂછવાની શરુઆત કરે છે, એ વખતના તેમના દિલના ભાવાનુ' અને વિનયનું જે વર્ણન સૂત્રમાં કરવામાં આવ્યુ છે, તેના સંક્ષેપાથ આ છેઃ
શ્રદ્ધાપૂર્વક ગૌતમસ્વામી ઉભા થાય છે, ભગવાન મહાવીરસ્વામીની નજદીક આવે છે. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે. માંદે છે, નમે છે, બહુ પાસે નહિ. બહુ દૂર નહિં, એમ