________________
પ૨૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ અહિં લેકનું સ્વરૂપ આમ બતાવ્યું છે.
અનંત, પરિમિત, અલેકવડે પરિવૃત, નીચે વિસ્તીર્ણ, વચ્ચે સાંકડે, ઉપર વિશાળ, નીચે પયંકના આકારને વચ્ચે ઉત્તમ વજીના આકારવાળે, અને ઉપર ઊંચા, ઉભા મૃદંગના, આકાર જે લેક કહ્યો છે. તેવા પ્રકારના લેકમાં અનંતા જીવઘને ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક જી દ્વારા કાય-જણાય છે. નિશ્ચિત થાય છે. જે પ્રમાણથી લેકાય–જણાય તે લક કહેવાય.
પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરે મહાવીર સ્વામીના અનુથાયીઓબન્યા. તેથી તેમણે પ્રતિક્રમણ સહિત પાંચ મહાતેને સ્વીકાર્યા.
ચાર પ્રકારના દેવલોક કહેવામાં આવ્યા છે –
૧. ભવનપતિ, ૨. વનવ્યંતર, ૩. જાતિ, અને ૪ વૈમાનિક,
તેમાં ભવનવાસી ૧૦ પ્રકારના કહ્યા છે. વાનગૅતરે ૮ પ્રકારના કહ્યા છે.
તિષિકે ૫ પ્રકારના કહ્યા છે. વિસાનિકે ૨ પ્રકારના કહ્યા છે.
આ ઉદ્દેશકમાં કંઈ પણ વર્ણન કે પ્રશ્નોત્તર નથી. માત્ર ૧ લા ઉદ્દેશકમાં જેમ સૂર્યનું વર્ણન કર્યું. તેમ આ ઉદ્દેશકમાં ચંદ્રનું વર્ણન સમજવાનું જણાવ્યું છે ને તે ચંપાનગરીના વર્ણનમાં છે.