________________
શતક-૫ મું ઉદ્દેશક-૯]
[પરછ સમયાદિનું જ્ઞાન તેમજ રાત્રિદિવસ અનંત કે નિયત પરિમાણ
નૈરફિકે, સમય, આવલિકા, ઉત્સર્પિણ, અવસર્પિણીને જાણતા નથી. કારણ કે સમયાદિનું માન તે અહિં મનુષ્ય લેકમાં છે.
એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્થં ચ યોનિકો માટે પણ સમજવું. સમયાદિનું માન અને પ્રમાણ આ મનુષ્ય લેકમાં હોવાથી મનુષ્યને એ જ્ઞાન છે.
જેમ નરયિક માટે કહ્યું, તેમ વાનર્થાતર, તિષિક અને વૈમાનિક માટે પણ જાણવું.
એક વખત ભગવાન મહાવીર સ્વામીને ભગવાન્ પાશ્વ નાથના સ્થવિર મળે છે બહુ દૂર નહિં તે બહુ નજીક નહિં એવી રીતે બેસી વિચારે છે કે –
અસંખ્ય લોકમાં અનંત રાત્રિ દિવસ ઉત્પન્ન થયાં? ઉત્પન્ન થાય છે? ઉત્પન્ન થશે ? નષ્ટ થયાં? નષ્ટ થાય છે કે નષ્ટ થશે? કે નિયત પરિમાણવાળા રાત્રિ દિવસે ઉત્પન્ન અને નષ્ટ થયાં, થાય છે ને થશે ?
આ પ્રમાણે તે પ્રશ્ન પૂછે છે એના જવાબમાં ભગવાને કહ્યું છે કે
અનંત રાત્રિ દિવસે ઉત્પન્ન અને નષ્ટ થયાં, થાય છે ને થશે.
આનું કારણ બતાવતાં ભગવાને કહ્યું છે કે–પુરુષાદાનીય પાર્શ્વનાથ અર્હતે લેકને શાશ્વત કહ્યો છે, તેમ અનાદિ કહ્યો છે.