________________
૪૨૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
કાન, જીભ અને સ્પર્શેન્દ્રિ પણ જડ છે આત્માના ઉપગ વિના વિષયનું જ્ઞાન મેળવવામાં સમર્થ નથી તે જ રીતે મન પણ જડ હોવાના કારણે આત્માથી પ્રેર્ય બનીને જ પ્રવૃત્તિ કરે છે, માટે ઈન્દ્રિયોના સકિઈથી થતું જ્ઞાન પ્રમાણ નથી વિદત્પરિષદમાં સમૃગૂ જ્ઞાન જ પ્રમાણભૂત બને છે. કેમકે આ જ્ઞાનની હૈયાતીમાં જ આત્માને ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ યથાર્થ થાય છે, અને તેમા થતાં અભિમત (ઈચ્છિત) પદાર્થોને સ્વીકારવાની શક્તિ અને અનભિમત. પદાર્થોને ત્યાગવાની શક્તિ પણ આત્માને થશે.
જ્યાં સુધી આત્માને સમ્યગૂ જ્ઞાન નથી ત્યાં સુધી જ હેયત્યાગવાં યંગ્ય પદાર્થોને તથા ક્રિયાઓને કરતો રહે છે અને સ્વીકારવા યોગ્ય પદાર્થોથી અને ક્રિયાઓથી દૂર ભાગે છે
જડ પદાર્થ જ્યારે પોતાને પણ પ્રકાશક નથી બની શકતો તે પર પ્રકાશક શી રીતે બનશે ? તેમ થતાં ચક્ષુસાગથી થતું જ્ઞાન પ્રમાણ છે કે જે અપ્રમાણ? આ નિર્ણય કરવામાં અનવસ્થા દોષથી બચી શકાય તેમ નથી માટે જ સનિક પ્રમાણ હોઈ શકે નહી..
બૌદ્ધોનું નિર્વિકલ્પ જ્ઞાન પણ આ પ્રમાણે ખ ડિત થઈ જાય છે. કેમકે નામ, જાતિ અને ગુણ વિનાનું જ્ઞાન અવ્યવહારૂ હોવાથી કોઈ કાળે પણ વ્યવહારને યોગ્ય નથી, માટે નામ, જાતિથી પ્રસિદ્ધ થયેલું સવિકલ્પ યથાર્થ જ્ઞાન જ પ્રમાણ છે
જ્ઞાનાતવાદિઓનુ મન્તવ્ય છે કે આખાએ સંસારમાં જ્ઞાનને છેડીને પરપદાર્થની વિદ્યમાનતા નથી, જે છે તે જ્ઞાન જ છે. ખાદ્યપદાર્થો જે દેખાય છે તે જ્ઞાનના જ આકાર વિશેષ છે
પરન્તુ આવી માન્યતામાં તે પ્રત્યક્ષરૂપે દેખાત, અનુભવાતસ્પશીભૂત થત, સંભલા અને તે દ્વારા આત્માને થતો આનન્દઅનુભવ અકિચિકર જ સિદ્ધ થશે વ્યવહારમાં પ્રત્યેક માનવને.