SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ધર્મ આત્માના ગુણ ઉપર રચાયેલું હોય છે. માટે ધાર્મિક સદાચારસર્વિચાર અને સત્ય ભાષણને જ મહત્ત્વ આપે છે. જ્યારે સ પ્રદાય-સઘાડાવાદ ગુણવૃદ્ધિ અને ચારિત્ર વિકાસ પ્રત્યે બેદરકાર રહીને વિધિ વિધાનોને જ પકડી રાખે છે. ધર્મ માણસ માત્રને નમ્ર બનાવે છે ... જ્યારે સ પ્રદાય માણસને મિથ્યાભિમાની તથા અક્કડ બનાવે છે ધર્મ માનવ જાતમાં રહેલી ભેદભાવની દિવાલને તોડે છે. જ્યારે સ પ્રદાય ભેદભાવ વધારી મૂકે છે ધર્મ માણસને બંધનથી મુક્ત કરે છે, જ્યારે સપ્રદાય બંધનમાં કસાવે છે. મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી સાચા અર્થમાં ધાર્મિક હોવાના કારણે જ ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ, કુંભાર, લુહાર, ઘાચી. હજામ, ભગી, મેતર, અને ચડાલ તથા ચંડકૌશિક જેવા વિષધરને સતીઓને, અસતીઓને, કામીઓને, ક્રોધીઓને, કસાઇઓને, હિસને, શિકારીઓને, માંસાહારીઓને પણ તારી શક્યા છે. અને સૌને સંપ્રદાયની સાંકળમાં નહી પણ ધર્મની સાકળમાં જોડીને એક ઝાડા નીચે લાવ્યા છે તેથી જ ધાર્મિકતા અમૃત છે અને સાંપ્રદાયિકતા ઝેર છે. માટે અરિહંત દેવનો ઉપકાર ભૂલ્યો ન ભૂલાય તે હોય છે સાતની સખ્યામાં જીવો મેક્ષે ગયા છે, તે અરિહતના શાસનને આભારી છે. અને આટલી જ સખ્યામાં સૂક્ષમ નિગોદમાંથી બહાર નિકળેલા જીવોએ વ્યવહારરાશિમાં પ્રવેશ કર્યો છે તે ઉપકાર -સસારને કઈ પણ જીવ ભૂલે તેમ નથી મહાવીર સ્વામીના શાસનમાં સાતસો એવો સિદ્ધ થયા તે ઉપરાંત ઘણું જીવોએ મોક્ષ જવાની લાયકાત મેળવી છે. જેને લઈને નિકટ ભવિષ્યમાં તે જીવો મોક્ષમાં જશે, અને સુલસા આદિ -નવ ભાગ્યશાલીઓને આવતી ચોવીસીમાં તીર્થ કરપદ પ્રદાન કર્યું છે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy