________________
૩૯૦)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ચાર શેર વજન પ્રમાણ લીબડાના રસમાં જે કટુતા હોય છે તેના કરતા પણ એ જ ચાર શેર રસને ચૂલા ઉપર મુકીને ઉકાલતાં જ્યારે બે શેર રસ શેપ રહે છે ત્યારે તેમાં કડવાશ વધે છે, વળી એક શેર રસ શેષ રહેતાં તે કડવાશમાં વધારો થાય છે.
તેવી રીતે અત્યન્ત તીવ્ર મોહ માયા-વૈર અને ભય કર ઝનૂનમાં ચઢી ગયેલ જીવ હત્યા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહનું પાપ કર્યા પછી પણ હરખાય છે, અને કરેલા પાપ કર્મોની પ્રશંસા કરે છે, કૃષ્ણ લેક્શામાં એટલે બધે વધારે થવા દે છે કે જેને લઈને આ જીવ ભય કરમાં ભય કર અશુભ, અશુભતર અને અશુભતમ કર્મોનું બંધન કરે છે, જેમ શિકાર કર્મને માટે ધનુષ્યબાણ લઈને વનમાં ગયેલે શિકારી હરણ ઉપર બાણ ફેકે છે અને તે બાણ ગર્ભવતી હરણીને પેટ પર પડતાં જ તેનું પેટ ચિરાય છે, અને તેને ગર્ભ નીચે પડે છે તે સમયે શિકારી ત્યાં આવીને પિતાની શૂરવીરતાની આ પ્રમાણે પ્રશસા કરે છે કે “મારૂં બાહુબળ, એક જ બાણથી બે છોને મોતના મુખમાં ધકેલી દીધા છે.
જોઈ મારી બલવાની ચાલાકી, “એવી સરસ સાક્ષી આપી છે કે જેનાથી મારા સામાવાલા શત્રુને કારાવાસમાં જવું પડ્યું ” “મારી મોહજાળમાં ફસાયેલી આ સ્ત્રીને છોડાવવા માટે તેનો પતિ પણ વચમાં આવશે તો તલવારથી એક ઘાએ બે ટૂકડા કરીને તેને મૃત્યુના દ્વારે પહોંચાડી દઈશ”
- આ પ્રમાણે પાપ કર્મની લેણ્યા વધે છે અને દુર્ગતિ માટેનું કર્મ બાંધે છે
એજ પ્રકારે ચાર શેર વજન પ્રમાણે શેલડીના રસમાં જે મધુરતા હોય છે તેના કરતાં પણ તે રસને ચૂલા ઉપર મૂકીને