________________
શતક-૫ મું ઉદ્દેશક-૩]
[૩૮૯ જે જીવ જે એનિમાં ઉપજવાને ચગ્ય હોય, તે જીવ તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે છે. ર ૫૯
ફ, ૫૯. રમતના મેદાનમા ફૂલની જેમ આ જીવાત્મા ચારે ગતિરૂપ સંસારમાં એક ક્ષણ માટે પણ સ્થિર નથી. પ્રતિ સમયે તેના અધ્યવસાયે બદલાતા રહેવાના કારણે સતત કને કરનાર અને તે કર્મોને લઈને ભવભ્રમણ કરનાર આ જીવ પિતાને -ચાલુ ભવ છોડતા પહેલાં નવા અવતારને ગ્રહણ કરવા માટે આયુષ્ય કર્મને બાંધ્યા પછી મૃત્યુ પામે છે
યમરાજ મૃત્યુ સમયે આવે છે અને જીવાત્માને પકડીને, બાંધીને જીવના કરેલા કર્મોને અનુસારે બીજી એનિમા પટકી દે છે.”
આ વાતને જૈન શાસન એટલા માટે માન્ય કરતુ નથી કેમકે :આયુષ્ય કર્મ જ ભવાન્તરનું કારણ છે
જીવ પોતે જ અનતશક્તિનો માલિક હોવાથી પિતાના કર્મોને લઈને પોતે જ ભવભવાન્તર કરવા સમર્થ છે.
તીવ્રતમ શુભાશુભ લેગ્યાઓમાં પ્રવર્તમાન જીવ જે ભાવમાં રહે છે તે ભાવના અનુસાર આવતો ભવ નકકી થાય છે, અને કર્મરાજાની બેડિઓમા જકડાઈ ગયેલ છવ તે ભવમાં જાય છે. અર્થાત્ આવતા ભવને મેળવવા માટે આ ચાલુ ભવમાં જ આયુષ્ય કર્મ બાંધવાની કરજ પડે છે, અને મરણ પામ્યા પછી ત્યાં જ જન્મ લેવો પડે છે. તથા શુભાશુભ કર્મોને ભોગવવા જ પડે છે. મિક્ષ અવસ્થા મેળવવા માટેની કાળ લબ્ધિ અને પોતાના સબળ પુરુષાર્થ વડે મેળવેલી ભાવલબ્ધિ જ્યા સુધી આ જીવાત્માને પ્રાપ્ત નથી થતી ત્યા સુધી ઘણું જ ચિકણું, લાબી સ્થિતિવાલા અને કટુ, કટુતર અને કટુતમ રસથી પૂર્ણ કર્મોને બાધે છે અને ભવાન્તરમા ભોગવે છે