SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ મું ઉદ્દેશક-૨] [૩૮૧ પુણ્ય કર્મીઓના ભોગવટામાં આવનારી બધી વસ્તુઓ હિંત્પાદક જ હોય છે. હિંસા વિના એક પણ પદાર્થ બનતો નથી. અને બનેલો પદાર્થ અથવા તેને સહવાસ જીવમાત્રના પરિ ણામમાં રાગ અથવા દેશ લાવ્યા વિના રહેતો નથી માટે જ તીર્થકર દે સર્વથા નિષ્પરિગ્રહી હોય છે. યાવત કાયાની માયા પણ સર્વથા છેડી દેનારા હોય છે. આવા તીર્થકર દેના અનુયાયિઓ પણ નિષ્પરિગ્રહી કે અલ્પપરિગ્રહી હોય અને સર્વથા અનિવાર્યરૂપે પરિગ્રહી હોય તે ઈચ્છનીય છે. તેથીજ જૈનધર્મ માનવમાત્રને કલ્યાણના પથે પ્રસ્થાન કરાવી સિદ્ધશિલા પ્રાપ્ત કરાવવામાં અજોડ છે. આ ઉત્કૃષ્ટતમ જૈનધર્મ મુનિરાજેને માટે સર્વથા અપરિગ્રહ ધર્મની અને ગૃહસ્થને માટે પરિગ્રહ પરિમાણ વ્રતની પ્રતિપાદન કરે છે જેથી જીવ સિદ્ધિસોપાન ઉપર ચડી નિકટ ભોમા મોક્ષગામી બને છે. જ્યાં સુધી માણસ પાસે પરિગ્રહ છે, ત્યાંસુધી તે હિસક છે કેમકે કપડા, ભજન પાણીથી લઈને ચરમા, ઘડીઆળ, કામળી, ફાઉન્ટન પેન, આદિ પદાર્થોમાં તે તે જીની હત્યા ચક્કસરૂપે નિર્ણત છે વસ્તુઓની ખરીદી કરનાર માણસ હોય તે જ દુકાનદાર પિતાની દુકાન ચલાવે છે અને દુકાનદાર (વેચનાર) હશે તેજ પદાર્થોનું ઉત્પાદન થશે એટલે ઉત્પાદક કપડા, ઘડા, ધાબળા, ચશમાં, ઘડીયાળ, કાઉન્ટન પેન વગેરે ચી ત્યારેજ બનાવશે જ્યારે તે માલ બજારમાં ખપ હોય છે. જે જીવોને જૈનધર્મ મલ્યો નથી, તેમની વાત જવા દઈએ, પણ જેનધર્મની આરાધના કરનાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy