________________
શતક–૫ મું ઉદ્દેશક–૨]
[૩૭૯
શસ્ત્રથી કૂટાય છે, અગ્નિદ્વારા જુદા રંગને ધારણ કરે છે, ત્યારે તે ભાગ અગ્નિકાયનાં શરીર કહેવાય
લેટુ, તાંબુ, કલઈ, સીસું, કોયલે અને કાટ એ બધાં પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથ્વીના જીવનાં શરીર કહેવાય. ને પછી શસ્ત્રદ્વાર કૂટાયા પછી અગ્નિ જીવનાં શરીર કહેવાય.
હાડકું, ચામડું, રૂંવાડાં, ખરી અને નખ-એ ત્રસ જીવનાં શરીરને બળેલ ચામડું, રૂંવાડા વગેરે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસ જીવનાં શરીરને પછી–શસ્ત્ર દ્વારા સંઘટિત થયા પછી અગ્નિના જીવનાં શરીરે કહેવાય.
અંગારો, રાખ, ભુસ, છાણું એ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય જીવનાં શરીર અને યથાસ ભવ પંચેન્દ્રિય જીવનાં શરીરેયે કહેવાય, અને પછી શસ્ત્રદ્વારા સંગઠિત થયા પછી અગ્નિના જીવનાં શરીર છે. દ પ૭ પરિગ્રહ પાપ શા માટે?
| મા ૫૭ સામાન્ય માણસ પણ સમજી શકે છે કે “ચોખા” ખેતરમાં પાકે છે અને તે એકેન્દ્રિય જીવતુ શરીર છે ચામડુ ' ગાય, ભેસ, બકરી, ઊંટ, હરણ, સિહ વગેરે પચેન્દ્રિય જીવના શરીરનું હોય છે “રાખ” લાકડાની કે છાણાની બને છે લાકડું એકેન્દ્રિય વનસ્પતિનું કલેવર છે, જ્યારે છાણ તિર્યંચ સ્થલચર જીવોની વિષ્ટા છે ત્રાબુ, સીસુ, સોનુ, ચાદી વગેરે ધાતુઓ પણ પૃથ્વીના પેટાલમાથી નીકળે છે અને એકેન્દ્રિય છે. “દારું ગોળ કે જવ આદિ પદાર્થોમાથી બને છે, અને તે વનસ્પતિ છે “હાડકુ” મનુષ્ય કે પચેન્દ્રિય જીવને જ હોય છે, માટે પચેન્દ્રિયનું અંગ કહેવાય છે. કપડુ” રૂમાથી બને. છે અને તે એકેન્દ્રિય જીવ હોય છે. શંખ, કેડી કે સ્થાપનાજીમાં રખાતા અરિયા પાણીમાં રહેનારા બેઈન્દ્રિય જીવોના હાડકાં છે.