SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) -છેડવાના નથી પણ તેમના પ્રત્યેને દુરાચાર છોડવાને છે. શ્રીમંતાઈ કે સત્તા છોડવાની નથી, પણ તેના પ્રત્યેની સાધ્ય -ભાવનાને ત્યાગી સાધનભાવ પેદા કરવાને છે.” જનકરાજા પાસે વૈભવ અને રિદ્ધિસિદ્ધિને કઈ પાર ન હતું, પણ તેમ છતાં તેઓ વિદેહી કહેવાયા છે, તેનું કારણ આજ છે. કમળ, -જળની વચ્ચે રહ્યાં છતાં પાણીથી જેમ અલિપ્ત રહે છે, તેમ સંસારમાં રહીને પણ અલિપ્ત ભાવે રહી શકે, તે તે એક ઉચ્ચ કોટિની સાધના છે. ઈલેકની ત્રણ સભાનું વર્ણન (પાન ૩૩૬) કરતાં જણાવ્યું છે કે, દેવલોકમાં દેવતાઓની માફક દેવીઓ પણ સભાસદપદને શોભાવે છે અને ત્યાં દેવીઓનું પણ દેવાની ‘માફક બહુમાન કરવામાં આવે છે. આ અંગેની નંધમાં પૂ. પં. શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજ સાહેબે સાચું જ લખ્યું છે કે, “માતૃસ્વરૂપા સ્ત્રીઓને હલકી ગણવાનું પ્રયોજન શું છે ? શું પુરુષો કરતા સ્ત્રીઓ બુદ્ધિબળમાં ઓછી છે ? આ બધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમા પુરુષ જાતની જોહુકમી સિવાય બીજું કંઈ પણ તવ નથી” (પાન ૩૩). સ્ત્રી અને પુરુષ વચ્ચે કઈ મૂળભૂત ફરક નથી. સ્ત્રીપણુ અને પુરુષપણું એ તે માત્ર દેહદષ્ટિએ છે. આત્મતત્ત્વની દષ્ટિએ તે -સ્ત્રીને આત્મા અને પુરુષને આત્મા બંને એકસમાન છે. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહની પ્રસ્તાવના લખવાનો મને મુદ્દલ અધિકાર નથી, એ વાત હું સારી રીતે સમજી છું આ એક પ્રકારની અનધિકાર ચેષ્ટા કરવાને ટ્રકે ખલાસ પણ કરી દઉં આજથી પચીસ વર્ષ પહેલાં ઈ.સ ૧૯૫૦માં શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની “આગમ વિભાગની પરીક્ષામાં હું બેઠેલો અને પાસ થયેલે એ વખતે આ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy