SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૪ થું ઉદ્દેશક-૯] [૩૬૬ ૧ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન. ૨ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન. ૩. મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન અને મન:પર્યવસાન જ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન શ્રુતનાનની હાજરીમાં મતિજ્ઞાનની આવશ્યકતા અનિવાર્ય છે. ત્યારપછી અવણિજ્ઞાન થાય છે. અથવા આ જ્ઞાન વિના પણ મન પર્યવજ્ઞાન થઈ શકે છે, કેમકે –તે તે કર્મોના આવરણની જ્યોપશમ સામગ્રી નાનપ્રત્યે વિચિત્ર પ્રકારની હોય છે એટલે કે આમપીંપધિ આદિ લબ્ધિઓમાંથી કેટલીક પ્રાપ્ત થયેલી લબ્ધિઓના માલિક મુનિને તેવા પ્રકારના અધ્યવસાયાદિ લક્ષણવાલી મન પર્યવ જ્ઞાનાવરણયની જ સોપશમ સામગ્રી પ્રાપ્ત થાય છે. પરંતુ અવધિજ્ઞાનાવરણયની ક્ષયોપશમ સામગ્રી પ્રાપ્ત થતી નથી માટે તેમને અવધિજ્ઞાન વિના જ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પ્રશ્ન-અતિવિશુદ્ધ પરિણામવાલા મુનિને જ મનપર્યવજ્ઞાન થાય - છે, ત્યારે કૃષ્ણલેશ્યા તો વિશુદ્ધ સ્વરૂપ નથી. માટે આ વેશ્યાના માલિકને મન પર્યવજ્ઞાન શી રીતે ઉત્પન્ન થશે ? ઉત્તર–લેશ્યાઓનાં અધ્યવસાય સ્થાને કાકાશના પ્રદેશ જેટલા - અસ ખ્યાત છે તેમાં કઈક સમયે કૃષ્ણલેગ્યા અતિમંદ ભાવના પરિણામવાલી પણ થઈ જતા અર્થાત્ કૃષ્ણલેશ્યામ વર્તતા જીવના અધ્યવસાય કેઈક સમયે અતીવ શુદ્ધ થતા, પ્રમત્ત સંયમીને પણ મન Áવજ્ઞાનની સભાવનાને નિષેધ થઈ શકે તેમ નથી. , અધ્યવસાયોની વિચિત્રતા એક સરખી નથી માટે કૃષ્ણ, નીલ, અને કાપત લેશ્યા પ્રમત્ત યમ ગુણસ્થાનક સુધી પણ હોય છે, યદ્યપિ મન પર્યાવજ્ઞાન અપ્રમત્ત મુનિને જ થાય છે તે પણ કદાચિત છઠ્ઠા ગુણસ્થાનકના પ્રમત્ત સંયમીને આ ચેથા જ્ઞાનની ઉત્પત્તિ હોઈ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy