________________
૩૬૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
- તિર્થં ચ નરકમાં જન્મે છે અને નારક નરકમાં જન્મતો નથી ત્યારે
ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીજીના પૂછવાને આશય વ્યવહાર નયને અનુલક્ષીને નથી. પણ ઋજુત્રનયને અનુલક્ષીને છે. તે આ પ્રમાણે
મનુ ને કે જાનવરને જીવ જે નરકગતિમાં જવાની તૈયારી કરી બેઠો છે તે નરકગતિનુ આયુષ્યકર્મ બાંધ્યા સિવાય મનુષ્ય અવતાર છોડી શકે તેમ નથી, અને તેમ થતા મનુષ્ય આયુષ્ય જે સમયે પૂરૂ થશે તે જ સમયે નરકના આયુષ્યની બેડી તેના હાથમાં પડશે. અર્થાત નરકાયુષ્ય લઈને જ જીવ નરકમાં જાય છે. માટે યાવત ચાર સમય સુધી નરકમાં જવાવલે જીવ નારકજ કહેવાશે, મનુષ્ય કે તિર્થં ચ નહી કેમકે જયાસુધી મનુષ્યનું આયુષ્ય ચાલુ છે ત્યાસુધી હરહાલતમાં પણ છવ મનુષ્યનું આયુષ્ય લઈને જતો નથી. એજ પ્રમાણે નારક નરકમાં બહાર આવતું નથી કેમકે –જ્યાં સુધી નરક ગંતિનું આયુષ્ય યાવત છેલ્લા સમય સુધી શેષ રહે છે ત્યાં સુધી તે નારકજીવ જ કહેવાય છે એવી હાલતમાં નારકને જીવ નરકમાંથી શી રીતે બહાર આવશે ? માટે જ કહેવાયું છે કે “નારકજીવન નરકમાં જાય છે. અને નારક નરકમાથી બહાર આ તો નથી.” પૂછનાર ગૌતમસવમી મહાજ્ઞાની છે અને ઉત્તર આપનાર મહાવીર સ્વામી પૂર્ણ જ્ઞાની છે.
' 'અહી નિરય-નરક આદિ શબ્દ નરક ભૂમિને સૂચવનારા છે. તથા નૈરયિક અને નારક શબ્દો નરકમા જેવાવાલા જીવોને માટે છે. છૐ ગુણઠાણે પણ ચાર જ્ઞાન :
હવે આ ચાલુ પ્રશ્નમાં કૃષ્ણલેશ્યામ વર્તતા જીવને કેટલા જ્ઞાનો હોય છે ? આનો જવાબ ભગવાન આ પ્રમાણે આપે છે કે – બે, ત્રણ અને ચાર જ્ઞાન પણ કૃષ્ણલેશ્યાના માલિકને હોય છે.