________________
શતક-૪થું ઉદ્દેશક-૯]
૩િ૫૫
પણ તું મારી સ્ત્રી બનજે, ત્યારે સામેથી દુખી હૃદયે પણ જવાબ મળશે કે, ભવોભવ તમે જ મારા પતિ બનજો. અને પ્રેમપાત્ર જીવને ઘણજિ દુઃખથી ભરેલા હૈયે છેવટે વિદાય આપે છે. આવા -અને એના જેવા કરેડે પ્રસ ગેને સાક્ષી બનેલે આપણે આત્મા આવતા ભવને મીઠો બનાવવા માટે મેહકર્મના મદિરાપાનમાં મસ્ત બન્યા પછી ભવભવાન્તરના ભ્રમણનો ત્યાગ કરી શકે તેમ નથી.
જે માટે આપણને ભવાર કરવા માટે મોહ ઉત્પન્ન થાય છે તેમાં સામે ઉભેલ શત્રુ, સુંદર સ્ત્રી, અથવા નાયિકા વગેરે મુખ્ય કારણ છે ? કે બીજું કંઈ?
આ માટે આપણે અનુભવ એમ કહે છે કે, આપણે પોતે જ -અત્યન્ત દુસ્યા જય માયાના વશમાં આવીને સામેવાલાની સાથે બધાવવા માગીએ છીએ. ઘણીવાર એવું બને છે કે, સામે વાલાને આપણે પોતે જ શત્રુ સમજીને બેઠા હોઈએ છીએ અથવા તે આપણા મનની નબળાઈના કારણે સામાને શત્રુ માનવામાં ઉતાવળ કરી બેસીએ છીએ અને વૈરકર્મમાં બધાઈ જઈએ છીએ. સુદર સ્ત્રીને ફેલાવવા માટેના ઘણા પ્રયત્નો ઉભા કરીને આપણેજ -આપણી જાતને બાધી લઈએ છીએ. અને નાયક-નાયિકાના ખ્યાલાતોમાં આપણું મન જ અજ્ઞાનના નશામાં ભાનભૂલી પિતાના સ્વરૂપને વિસારી જઈએ છીએ આવી રીતે ભવભવાન્તર માટે પુરુષાર્થ કરનારો માણસ આવનારા તે તે ભને પ્રાપ્ત કરવા માટે તે તે ભવનું આયુષ્ય કર્મ બાધશે. અને બેડી જેવું આ કર્મ જીવમાત્રને તે તે સ્થાને લઈ જશે.
હવે આ સ્થિતિમાં વ્યવહારની ભાષા શું કહે છે ? તે જોઈએ. ગમે તે ક્ષેત્રને મનુષ્ય પોતે ઉપાર્જન કરેલાં કર્મોને લઈને પોતાને અવતાર પૂરો ક્રર્યા પછી મરીને નરક, તિર્યંચ મનુષ્ય અt.