SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અંધ કેમ નથી થતું ? આ પ્રશ્ન દરેક વિચારક માણસને આવ્યા વિના ન રહે. આનું કારણ વિસ્તૃત નોંધમાં સમજવવામાં આવ્યું છે, જે જન્મ મરણના અંત માટે બહુ ધ્યાનમાં શખવા જેવું છે. સમગ્ર મહેતુ રચાત્ વા - જાનૂ આશ્રવ અને સંવર આ બે તો વડેજ જીવાત્મા સંસાર સાથે બંધાય છે અને સંસારથી મુક્ત થાય છે. આત્માની સાથે કર્મનો સંબંધ થવાના કારણોને આશ્રય કહેવાય છે. ““સંવર' શબ્દ વ પૂર્વક રૂ ધાતુથી બનેલ છે. પૂર્વક ધાતુનો અર્થ શેકવું –અટકાવવું થાય છે. કર્મ બંધાતું અટકે તે સંવર, સંવર એટલે ઈદ્રિયે, મન વાસના ઉપરને સંપૂર્ણ જય. મુક્તિ પથને સાચે અને સચોટ માર્ગ સંવર છે. જ્યાં સંયમ છે ત્યાં સ વર છે. જયાં સંવર છે ત્યાં આશ્રવ માર્ગ બંધ થવાથી કર્મ બંધન પણ નથી અને જ્યાં આવતા કમને રોકી લીધાં ત્યાં જૂનાં કર્મોની નિર્જરા થતા વાર લાગતી નથી. જયાં નિર્ભર છે ત્યાં અવશ્ય મેક્ષ છે. અને મેક્ષમાં અવ્યાબાધ અનંત સુખ જ છે જેને ધર્મમાં પ્રધાનતા પુરુષાર્થની છે. કર્મ બાંધવું કે છોડવું એમાં માણસ માત્ર સ્વત ત્ર છે. એટલે જુદી જુદી યોનિઓમાં ભટકવું અગર એમ ભટકવામાંથી કાયમ માટે મુક્ત થવું, એ આપણા પિતાના જ હાથની વાત છે. - લેશ્યાનું સ્વરૂપ અને સમજણ (પાને ૩૩ અને ૨૯) પણ આ ગ્રંથમાં સરસ રીતે સમજાવવામાં આવ્યા છે. આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચોંટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા. થર્મોમિટર વડે જેમ શરીરની ઉષ્ણતાનુ માપ સમજી શકાય છે એમ લેશ્યાની સમજણથી માણસ પોતાના મનના અધ્યવસાયે સમજી તેનું સ્વરૂપ પણ સમજી શકે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy