SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ કર્મને લઈને આ ચાલુ ભવમા માનવને ઈન્દિની પ્રાપ્તિ થાય છે પહેલા વર્ણન કરી ગયા છીએ કે આત્માને જે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે ઈન્દ્રિયોને આત્માએ જ પોતાની મેળે રચેલી છે આ ઇન્દ્રિયનું વિષય ગ્રહણ સર્વથા નયત હોય છે. માટે તેમાં કોઈ પણ ઈશ્વરની કે દેવદેવીની દખલગિરી નથી હોતી. મહાભય કર અધિકારમાં એક ફળ આપણું હાથમાં આવે છે, તેને સ્પર્શ કરવાથી જ તેના આકાર વિશેપને લઈને આપણે નિર્ણય કરીએ છીએ કે આ કેરી છે.” દબાવવાથી “પાકી ગયેલી લાગે છે સુંઘવાથી તેમાં મીઠે રસ છે એમ જાણ , શક્યા પણ અંધારામાં આંખ પોતાનું કામ નહી કરવા છતાં પણ આપણે કલ્પીએ છીએ કે, આ કેરી પીલારંગની છે આ પ્રમાણે કેરીના પાલાર ગની કલ્પનામાં ઈશ્વરને સાક્ષાત્કાર નથી પણ “અનુગ્રહ, ઈહા, અપાય, ધારણા આ ચારે પ્રકારના મતિજ્ઞાનમાથી ધારણા” નામના મતિજ્ઞાનને જ ચમત્કાર છે કેઈપણ પદાર્થનાં, જ્ઞાનમાં “ધારણા શક્તિવડે જે પદાર્થોના-રૂપ, રંગ, આકાર આ આપણું મગજમાં સ્થિર થયા હશે તે જ પ્રમાણે ધારણા પણ તેની તીવ્ર રહે છે. અને આ લબ્ધિના કારણે જ કોઈ પણ અવધારિત પદાર્થ જ્યારે સામે આવે છે ત્યારે તેને નિર્ણય કરતા વાર લાગતી નથી. અવધાન પ્રયોગોમાં દેવી શક્તિનો ચમત્કાર નથી પણ ધારણ” શક્તિ જ ચમત્કાર હોય છે. હાથચાલાકીના પ્રયોગ કરતાં જે ધારણા દૃઢ થાય છે. તેનાથી જાદુઈ પ્રાગે પણ થઈ શકે છે. ઈન્દ્રિયે પાંચ છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રવણ.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy