________________
(ર૯) ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે.
આપણે ત્યાં પિસ્તાલીસ આગમ છે, જેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલ સૂત્ર, ૬ છેદ સૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકા સૂત્રને સમાવેશ થાય છે. અંગ, ઉપાંગ, મૂલ, છેદ, પ્રકીર્ણક અને ચૂલિકા એ આગમેના પડાયેલા છ વર્ગના નામ છે. અંગો અસલ તે બાર હતાં, પણ બારમું અંગ હાલ ઉપલબ્ધ નથી, એટલે કે અગિયાર અંગે જ મળે છે. આ બધાં પણ પૂરાં મળતાં નથી. આ અગિયાર અંગો પૈકી પાંચમું અંગ તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર.” નામ ઉપરથી જ સૂચિત થાય છે, તેમ આ આખું સૂત્ર પ્રશ્નો અને તેની વ્યાખ્યાઓ એટલે વિસ્તૃત ઉત્તરે રૂપ છે. “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર” નામ હોવા છતાં, તેની મહત્તા દર્શાવનારું વિશેષણ “ભગવતી સૂત્ર” નામે તે અંગે પ્રસિદ્ધ છે.
ભગવતી સૂત્રમાં કેવળ જ્ઞાનીને ગણધરે પૂછેલા પ્રશ્નોને સીધે, સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નકારે છે-ઈન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી), અગ્નિભૂતિ, વાયુ ભૂતિ, મડિત પુત્ર, માર્કદી પુત્ર, રેહક, જયંતી શ્રાવિકા તેમજ અન્ય તીથિ અર્થાત્ અન્ય સંપ્રદાયીઓ. આમ છતાં આ સૂત્ર મુખ્યત્વે શ્રી ગૌતમ અને ભ. મહાવીરના સવાલ જવાબ રૂપ જ છે. પ્રશ્નોની રજૂઆતમાં વિષયને કે દલીલને કઈ ખાસ ક્રમ જોવામાં આવતો નથી. કેઈ કઈવાર એક જ ઉદ્દેશકમાં ભિન્ન ભિન્ન વિષયને લગતા પ્રશ્નો પણ જોવામાં આવે છે.
આપણે ત્યાં ભગવતીસૂત્રનું માહાભ્ય અનેરૂં છે. ચેમાસાના ચાર માસ દરમિયાન પર્યુષણના દિવસે સિવાય શ્રી ભગવતીસૂત્રનું પારાયણ થાય છે. કેવળજ્ઞાનીના એક એક બલની કિંમત અમૂલ્ય હોય, એ બોલને ભારેભાર સુવર્ણ