SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩નું ઉદ્દેશક–૪] . [૩૦૫ સપાન છે. આનું આલંબન લીધા સિવાય કઈ પણ મુનિ ભાવસયમને માલિક બની શકે તેમ નથી અનાદિકાળથી આ જીવાત્મા કર્મોના ભારથી ભારી બને છે. આનો અર્થ આ છે કે અનાદિકાળના તેના તેજ કર્મો જીવાત્માને હતા. નથી. કેમકે બાંધેલા કર્મો પોતાની મર્યાદા પૂરી થયા પછી ઉદયમાં આવે છે અને પિતાનું શુભાશુભ ફળ બતલાવીને આત્મ પ્રદેશથી છૂટા થાય છે અને અજ્ઞાન અવસ્થા હોવાના કારણે ફરી નવા નવા કર્મો બંધાતા જાય છે. આમ જૂના કર્મે ખરતાં જાય છે અને પ્રવાહરૂપે ન કર્મો આવતા જાય છે. માટે જ આમ કહેવાય છે કે આત્મા અનાદિકાળથી કર્મોના ભારે ભારી બને છે. જૈન શાસનની અજોડતા ભવપરપરામાં અનત દુઃખને દેનારા આ કર્મોના ભારને હલકે કરવા માટે બીજા શાસન (ધ) કરતાં જૈનશાસન (જૈનધર્મ) વધારે. ઉપર્યુક્ત છે. યદ્યપિ બીજા ધર્મોમાં ધ્યાન, ધારણા, જાપ, ઈશ્વર-ણિધાન આદિ સદનુષ્ઠાનોનું વર્ણન છે. તથાપિ પ્રાથમિક ભૂમિકાનું સ્પષ્ટીકરણ ત્યા જોવામાં આવતું નથી, જ્યારે જૈનશાસનમાં લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રાથમિક ભૂમિકાને પાયો એટલે બધો પાક છે કે જેને લઈને માણસ માત્ર આત્મ- કલ્યાણના પથે આગળને આગળ વધી શકે છે જેના માટે બે પ્રક્રિયાની જ આવશ્યક્તા છે પહેલી પ્રક્રિયામાં નવા પાપોના દ્વાર બંધ કરવા અને બીજી પ્રક્રિયામા જૂના પાપને સર્વથા સમૂળ નાશ કરવા. આ પ્રમાણેની આ બંને પ્રક્રિયા પ્રતિક્રમણ” ક્રિયામાં જ સમાઈ જાય છે માટે જ તત્ત્વાર્થસૂત્રમાં તીર્થ કર ગોત્રને બાધવાની ચર્ચા કરતા ઉમાસ્વાતિજીએ “ સાવરચારિદાજિ..” કહ્યું છે અર્થાત આવશ્યક–પ્રતિક્રમણ કરનારને જ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy