________________
૨૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પીત્તના પ્રકોપને લઈને જેમ જુદીજુદી જાતના મીઠા પદાર્થો ખાવાની ઈચ્છા છે તેમ મહા પાપી ભાવનાને લઈને નિયાણ પૂર્વક બાંધેલે સ્ત્રી વેદ જ્યારે સ્ત્રીલિગને પ્રાપ્ત થાય છે ત્યારે માનસિક કલ્પનામાં અને અંનુકુલતા મલતાં જુદા જુદા પુરૂષને ભોગવવાને માટે તે આત્મા તૈયાર થાય છે, અર્થાત પુરૂષો સાથે સબંધ કરવામાં તેને તીવ્રાભિલાષ બચે રહે છે તે સ્ત્રીવેદ કહેવાય છે
પણ આ વાત તો સ્ત્રીલિગને ધાર્યા પછીની છે જ્યારે પુરૂપ લિંગને ધરનાર માનવ પુરૂષ વેદના અત્યુત્કટ ઉદયને લઈને અથવા મેહ કર્મની ઉદીરણા કરીને તેવાજ સહવાસો, મેળવે છે જેનાથી. બીજી સ્ત્રીઓને ભોગવવાની તીવ્ર ઈચ્છાવાલે પુરૂપ, પૈસાના જોરે, રૂપરગના જોરે, વાચાલતાના માધ્યમથી, બીજી સ્ત્રીઓ સાથે રમણ. કરવાના દુષ્ટભાવથી તે તે સ્ત્રીઓ સાથે. ભેગવિલાસમાં રમણ કરે છે. અને તેના તીવ્ર પરિણામોને પામેલ આ આત્મા, આવતા. ભવને માટે સ્ત્રીલી ગ અર્થાત સ્ત્રી-અવતારને પામે છે
સાર આ છે કે સમકતથી ભ્રષ્ટ થતો આત્મા પણ એટલો બધે જાગૃત શકિતવાલે હોય છે કે જેને લઈને ઉપરના સ્થાને તથા સ્ત્રીવેદ પણ ઉપાર્જન કરતો નથી કેમકે જ્યા સુધી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતો નથી ત્યા સુધી આત્મા શુદ્ધભાવને જ ભજનારે હોય છે અને પોતાની શુદ્ધ લેગ્યાઓ દ્વારા દુર્ગતિને પામતો નથી.
હવે આ પ્રશ્નોત્તરની પૂર્ણાહુતિમાં આત્મા સાથે જ્યાં સુધી સમ્યફ રહે છે ત્યાં સુધી આત્મા વાયુની માફક સુગધી હોય છે અને મિથ્યાત્વરૂપી દુર્ગધ પુગલના સહવાસે આત્માના ધર્મકર્મના, આડબ કેવળ ભારભૂત જ હોય છે. જેનાથી પોતે બગડે છે અને બીજાઓને પણ બગાડે છે.