SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ ઉદ્દેશક-૪] [૨૮૧ અહિંસા એટલે કે કેઈ પણ જીવને ક્રોધ-માન-માયા અને લેભમાં આવીને મન-વચન તથા કાયાથી મારો નહી, મરાવવો નહીં અને મારનારને અનુમોદવો નહીં તે અહિસા છે રાજીનામુત્પત્તિર દિંવા” બાહ્ય નિમિત્તોને લઈને આત્મામાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી તે હિસા છે એટલે તે રાગદ્વેષની ઉત્પત્તિને જ રોકી દેવી તે અહિસા છે શરીરના રસલેહી-માંસ-હાડકાં, મઝા, અને શુક્રાદિ ધાતુઓને તપશ્ચર્યારૂપી ભઠ્ઠીમાં ખૂબ તપાવ્યા પછી તેમાં રહેલા તામસિક અને રાજસવૃત્તિના પરમાણુઓને બાલી નાખે તે તપશ્ચર્યા કહેવાય છે. દેહને શુદ્ધ કરે, મનને પવિત્ર બનાવે અને સ પૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવ સધાવે તે તપશ્ચર્યા છે ભગવેલા ભોગે તથા ઉપભોગમાં પાપકર્મની ભાવનાકરાવીને તથા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરાવીને સમિતિ-ગુપ્તિરૂપ એગમાર્ગમાં જોડાવી આપે તે તપશ્ચર્યા છે. હિસાનુબધી–મૃષાનુબધી-મૈથુનાનુબધી આદિ વિચારોને સ્વપ્નમાં પણ આવવા દે નહી તે તપશ્ચર્યા છે આવા પવિત્રતમ અહિંસાધર્મ તથા તપોધર્મને પ્રાપ્ત કરાવે, - અને પ્રાપ્ત થયેલાને ટકાવી રાખે તે સયમધર્મ કહેવાય છે તેને સરળાર્થ આ છે કે –સયમ ધર્મની પ્રાપ્તિ વિના અહિસા તત્વ, તથા તધિર્મતત્ત્વ પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી કદાચ થાય તો પણ અહિ સા તથા તપમા શુદ્ધિ આવે તેમ નથી સ યમની આરાધનામાં જેટલા અંશે રાગ-દ્વેપ-સ્વાર્થ હશે તેટલા અશે અહિંસક અને તપસ્વી પણ રાગદ્વેષથી યુક્ત બનીને સ્વાર્થાન્ત– મેહાન્ત અને ક્રોધાબ્ધ બનશે સ્વાર્થીબ્ધ માણસ હજારો લાખો માણસ સાથે શઠતાપૂર્વકનું વાતાવરણ કેળવશે માટે તે હિસક છે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy