SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨] ભગવતીસૂત્ર સારસંગ્રહ થિએટર પર આવી જાય છે. અને પૂર્વભવથી સાથે લાવેલા કર્મોને અનુસાર શુભ-અશુભ ચેષ્ટા કરવા લાગી જાય છે. સારાંશ કેકઈ પણ વસ્તુને સમય પાક્યા વિના આ સંસારમાં કંઈ પણ બનતુ નથી યદ્યપિ કાળ તત્ત્વમાં પણ ભાગ્ય, નિયતિ, પુરુષાર્થ : વગેરેનો સહકાર પણ અવશ્ય ભાવી છે - તેવી જ રીતે આજના કરેલા કરાવેલા, તથા અનુદેલા શુભાશુભ કર્મો પણ આજના આજેજ કળ દેવા માટે પ્રાયઃ કરીને : તૈયાર થતા નથી કેમકે જીવાત્માના પ્રતિપ્રદેશે ચાર, પાચ, દશ, સ ખ્યાત, અને અસંખ્યાત ભવના કરેલા કર્મો પણ ચૂંટેલા છે. ત્યારે આપણે સહજ સમજી શકીએ છીએ કે પ્રાય. કરીને જૂના કરેલા કમને સમય પહેલા પાકશે અને આજના કરેલા કર્મોને પરિપાક સમય જતા પછીથી થશે. જેવી કર્મની સ્થિતિ. આજનો કસાઈ કર્મ કરનાર પિતાના પહેલાના ભવમાં કસાઈ જ હોવું જોઈએ એવો નિયમ કેઈને પણ માન્ય નથી કદાચ તેને દયા–દાન-પુણ્ય તથા ધર્મ કરીને પોતાની ધર્મરાજાની બેંક ખૂબ મજબુત પણ બનાવી દીધી હશે ? આ પ્રમાણે એક ભવમાં તે પુણ્ય કર્મ પણ ભેગે કરતો જાય અને બીજી બાજુ હિંસક વૃત્તિને પણ પોતે હોય છે આ પ્રમાણે મરતી સમયે કસાઈને પણ ધર્મધ્યાનની લેગ્યા અને દાનેશ્વરી તથા દયાલુ માણસને પણ હિસક ભાવનાની લેગ્યા ઘટાડી શકાય છે. કેમકે અસ્થિર અને અજ્ઞાની માણસની ભાવલેયાઓ નિમિત્તને લઈને પ્રતિક્ષણે બદલાતી રહે છે. ઉપર પ્રમાણેના કારણોને લઈ જીવાત્મા આ ભવમાં કસાઈ પણ બને છે અને શ્રીમંત પણ બન્યો છે મમ્મણશેઠના પૂર્વભવીય જીવે મુનિરાજને સત્પાત્ર સમજીને લાડવો પણ આવ્યો છે ( હરાવ્યો છેતે સમયે તેમની શુભ લેગ્યાએ કેટલી બધી સરસ છે ,, = } 3, 3
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy