________________
૨૪૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
મેથીયુ, રાઈયુ, અથાણું, મીઠું, મરચું, ચટણ ખાંડ-ગોળ, વઘાર વગેરેનું મિશ્રણ કરે છે. પ્રાપ્ત થયેલા ભોજનમાં સ્વાદની ખામીને દૂર કરવા માટે સ્વાદજનક પદાર્થનું મિશ્રણ કરવાની ભાવનાને પણ ભગવતીસૂત્ર આશ્રવમાર્ગ કહે છે ચહા, દૂધ, ઠડા હોય તેને ગરમ કરાવવાની ભાવના તથા તેમાં ખાંડ ઓછી હોય કે ન હોય તેને મેળવવાની ભાવના પણ આશવમાર્ગનો પ્રકાર છે અમૂક પદાર્થ અમૂક પ્રકારના જ હોય તે ગળે ઉતરે. અમૂક લાડવા તથા દહિ તેવા પ્રકારના જ હોય તે ટેસ્ટપૂર્વક ખાઈ શકાય આ તથા આના જેવી બીજી લેલુપતામાં આશ્રવનેજ ચમત્કાર પ્રત્યક્ષ દેખાય છે.
ત્યારે ઉપકરણ સજનાધિકરણને અર્થ પણ ઉપરની જેમ જ સમજવાનો છે. જેમકે સંથારિયાની કોર ઉપર, ઓધારિયા કે ખભાની કામળી ઉપર ગેમૂત્રિક ભરાવવી જ જોઈએ. તે જ સારૂં દેખાય અને શરીરમાં પોઝીશનને રંગ જામે. આ ભાવનાને પણ ભગવતી સૂત્રકાર આશ્રવી ભાવના કહે છે
મનજીભાઈ જ્યારે ઇન્દ્રિયોના ગુલામ અને પોઝીશનના સપનાંમાં રાચતા હોય છે ત્યારે જ આવું બને છે.
- હવે નિસગધિકરણના પણ ત્રણ ભેદ છે –
૧. મનિસર્વાધિકરણ, ૨ વચનનિસર્વાધિકરણ, ૩ કાયનિસર્ણાધિકરણ. ગત ભવમાં ઉપાર્જન કરેલી. મનપર્યાપ્તિ વચનપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિને લઈને આ ભવમા મન, વચન અને કાયાની પ્રાપ્તિ થાય છે. પણ દુર્બુદ્ધિવશ સત્યધર્મ સમજવામાં નથી આવતો ત્યારે આ ત્રણે ભેગો આશ્રવે કર્મમાં જ રાચ્યામાગ્યા રહે છે અને ઘણાં પુણ્યથી મેળવેલા મનુષ્ય અવતારમાં પાપકર્મની સેવના કરીને