________________
શતક-૩ જું ઉદ્દેશક-૩]
[૨૩૯
પાપ નિરર્થક પાપ કહેવાય છે કે લસાની લાલીમાં કાળા હાથ”” અથવા “વિન ખાધે વિન ભોગવ્ય ફેગટ કર્મ બંધાય” તે નિરર્થક પાપને સમજી ત્યાગ કરવાના ઈરાદાથી જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનારા, અને ત્યાગ કરેલા પાપને ફરીથી નહી સેવવા માટે જાગૃત રહેતા શ્રાવકને પણ આ અનુપરતકાયિકી ક્રિયા લાગતી નથી. શ્રાવક ધર્મના બાર વતે નિરર્થક પાપને ત્યાગ કરવા માટે અને પાપી પેટ માટે કરાતાં પાપમાં પણ મર્યાદા કરવા માટે જ હોય છે. તે પછી સર્વે પાપના દ્વાર બંધ કરી મહાવ્રતોને પાલનાર મુનિરાજને તે આ કાયિકી-અનુપરત ક્રિયાની સંભાવના હોઈ શકે જ નહી.
બીજી પ્રયુક્તકાયિકીક્રિયા–તેને કહેવાય છે કે મોહવશ પ્રમાદવશ બની શરીરને પાપમાર્ગે પ્રવર્તાવાવું તે દુપ્રયુકૃત ક્રિયા કહેવાય છે, આ ક્રિયા છઠ્ઠા ગુણઠાણાના માલિક પ્રમત્ત સ યમીને પણ હોઈ શકે છે કેમકે આ સ્થાનકે પ્રમાદની મુખ્યતા છે જેને લઈને જ્ઞાનસત્તા પર આછુ પાતળું આવરણ આવી જાય છે અને -શરીર સંચાલનમાં ખ્યાલ રહેતો નથી
અધિકરણમા અને અધિકરણવડે થતી ક્રિયાને આધિકરણિકી ક્રિયા કહેવાય છે જેના વડે જીવ નરકાદિ ગતિનો માલિક બને તે
અધિકરણ કહેવાય છેપહેલાના બનેલા શાના જુદા જુદા વિભાગેને મેળવીને–જોડીને એક શસ્ત્રરૂપે બનાવાય તે સજનાધિકરણિકી ક્રિયા કહેવાય છે અને નવા શસ્ત્ર બનાવવા, તે માટે કારખાના ખોલવા, અને શસ્ત્રો વેચવા તેને નિર્વતનાધિકરણિકી ક્રિયા કહેવાય છે
કર્મબંધનના કારણરૂ૫ આત્માને પરિણામોમાં દૂષમત્સર વશ અકુશળતા લાવવી તે પ્રાષિક ક્રિયા કહેવાય છે. બીજાને પીડા ઉપજાવવા રૂપ પારિતાપનિકી કિયા કહેવાય છે. અને બીજાના