________________
૨૧૨
ભિગવતીસૂત્ર સારસંગ્રહ ઈશાનેન્દ્રની ઉત્પત્તિ
આ પછી ઈશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ અને તેની ઉત્પત્તિનું વર્ણન આવે છે. પ્રસંગ એમ બને છે કે –
ભગવાન મહાવીર સ્વામી મહાનગરીના નંદન ચૈત્યથી
તે અગ્નિભૂતિ ગણધરે ભવનપતિના દશ ભેદોમાંથી અમુકુમારોના ઈન્દ્ર દક્ષિણાધિપતિ ચમરેન્દ્રની અદ્ધિ આદિ માટે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે જવાબ આપે છે..
- તે ચમરેન્દ્ર મોટી ઋદ્ધિવાલ છે, ૩૪ લાખ ભવનવાસ દેવતાઓ ઉપર ૬૪ હજાર સામાનિક દેવો ઉપર, ૩૩ ત્રાયસ્ત્રિક
વે ઉપર, ચાર લોકપાલ, પાંચ પટ્ટરાણી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ, બે લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવ તથા બીજા પણ ઘણા દે તથા દેવીઓ ઉપર તેનો પ્રભાવ છે. કાકલ્દી નગરીમાં ૩૩ શ્રમણોપાસકો તત્ત્વજ્ઞ હતાં. જે ચમરેન્દ્રના ત્રાયસ્ત્રિશંકા દે થયા છે. વિદુર્વણા માટે વૈકિય સમુદુઘાત વડે જમ્બુદ્વીપને ઘેરી શકે છે. આ કંપની મેરૂપર્વતની દક્ષિણ દિશાએ ૧૭૮૦૦૦
જન પ્રમાણની મધ્યે અસુરકુમાર દેવો તથા દેવીઓના ૩૪ લાખ ભવનો છે. જે બહારથી ગોળ અને અન્દરથી ચોરસ છે ઘણાજ સુન્દર, સ્વચ્છ, પુષ્પોથી શણગારેલા, લીપેલા, ધોળેલા, ધૂપથી. સુગધિત થયેલા, કાન્તિવાલા તેમના આવાસે છે. ' આ ઈન્દ્રના સામાનિક દેવોમાં પણ એટલી શક્તિ છે કેઆખા જબૂદીપને તથા તિરછાલકના અસખ્ય દ્વીપ તથા સમુદ્રોને આકીર્ણ કરી શકે છે. આ પ્રમાણે ત્રાયઅિંશક દેવોની શક્તિા પણ જાણવી.