SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૩: સંપાદકનું પૂરવચન [૨૦૫. દેવ નિર્મિત સમવસરણ ત્યાં દેવે સમવસરણની રચના કરે છે અને દેવાધિદેવ, પતિત પાવન ભગવાન મહાવીરસવામી સમવસરણ આવીને “ના તિરથર” કહીને વિરાજમાન થાય છેઆવા પ્રકારનું દેવનિર્મિત સમવસરણું, તેની રચના, તેનું વર્ણન, જેના સૂત્રોને છેડીને બીજે ક્યાય જોવામાં પણ આવતું નથી સંસારને ગમે તે મેટામાં મોટો ચકવતી હોય, વાસુદેવ હેય, કે બલદેવ હોય, ત્યાગી–તપસ્વી–મહાતપસ્વી હોય, કે કરડેનું દાન દેનાર શ્રીમંત હોય, કે ઉધે માથે આખી જીન્દગી. સુધી લટકનાર મેટો યેગી હોય. તે પણ કેઈને માટે આવા સમવસરણની રચના થઇ હોય એવુ કયાંય પણ. જોવામાં નથી આવતું. જ્યારે અપૂર્વ અને અદ્વિતીય અતિશયે. તે મારા તીર્થંકર પરમાત્માઓને જ હોય છે. મકા નગરીમાં વાયુવેગે જ્યારે આ વાત જાણવામાં આવી કે ભગવાન મહાવીર સ્વામી ગામની બહાર ન દન નામના ચૈત્યમાં બિરાજમાન છે ત્યારે ત્યાંના રાજા અને પ્રજાને ઘણેજ આનન્દ થશે અને સૌ એક સ્થાને ભેગા થઈને એકજ વાત કરવા લાગ્યા. કે આપણા નગરવાસિઓનો મોટો પુણ્યદય છે. કે પતિતપાવન ભગવાન મહાવીરસ્વામી આપણું નગરમાં પધાર્યા છે. તે અરિહંતને વાન્દવા, સત્કારવા, નમવાં અને તેમની પર્સે પાસના કરવી એજ જીવનને એક મહાન લ્હાવે છે, માટે સૌ તૈયાર થાઓ. સૌએ સ્નાન કર્યા, બલિકર્મ કર્યા, મંગળ કર્યું, તીલક કર્યા અને સભ્યનેષ પરિધાન કરીને પિતપોતાના ઘેરથી બહાર આવી એક સ્થાને ભેગા થયાં. સૌના હૃદય શ્રદ્ધાથી પૂર્ણ હતાં, મનમાં અરિહંત દેવને.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy