________________
શતક-૩ સપાદકનું પૂરવચન]
[૧૯લ્પ (૫) સ્વયં બુદ્ધ-આ ભવની અપેક્ષાએ જ તીર્થકરે સ્વય બુદ્ધ હોય છે. બીજાના ઉપદેશની આવશ્યક્તા તેમને રહેતી નથી. અથવા વિપરીત, સંશય, અને અનધ્યવસાયરૂપ -અજ્ઞાનથી દૂર હોવાના કારણે હેય, ય, અને ઉપાદેયતત્ત્વને જેઓ સ્વતઃ સમ્યરૂપે જાણે છે તે સ્વયં બુદ્ધ ભગવાન મહાવીરસ્વામી છે.
(૬) પુરુષોત્તમ-એટલે જન્મસહજ ચાર મૂળાતિશય, કર્મોના નાશ થયે ૧૧ અતિશ અને દેવકૃત ૧૯ અતિશયે. આમ ૩૪ અતિશને લઈને સ સારભરના બધાએ પ્રાકૃત પુરુષમા જેઓ ઉત્તમ છે, અદ્વિતીય છે, તે પુરુષોત્તમ કહેવાય છે.
(૭) પુરુષસિહએટલે કે સિંહની જેમ પરાક્રમી. અર્થાત્ કર્માજરૂપી હાથીને વિદારવામાં સિહની જેવા સમર્થ છે યદ્યપિ ભગવાન તીર્થકર બાલ્યકાળથી જ શૂરવીર હેાય છે માટે બધાએ ઉપસર્ગોને સહી શકે છે, તથા કર્મરાજાને પરાસ્ત કરીને કેવળજ્ઞાનના સ્વામી બને છે.
(૮) પુરુષવર પુડરીક–સર્વશ્રેષ્ઠ વેત સહસ્ત્રપત્રી કમળ -જેવા ભગવાન સંપૂર્ણ અશુભ દ્રવ્ય અને ભાવ મેલથી રહિત હોવાથી શુદ્ધ છે, અથવા પિતાની આજ્ઞામાં રહેવાવાલા
જીવન સ પૂર્ણ સંતાપ દૂર કરવાવાલા હોવાથી સવે ભવ્ય -જીવને માટે કમળ સમાન છે, કાદવમાંથી કમળ ઉત્પન્ન થવા છતા પણ કમળમાં જેમ કાદવની મલિનતા હોતી નથી તેમ ભગવાન પણ સ સારના ભોગરૂપી કાદવમાથી ઉત્પન્ન થયા છે પણ સંસારને એક પણ દેષ તેમનામાં નથી '
(૯) પુરુષવર ગન્ધહસ્તી–બધા હાથિઓમાં ગન્ધહસ્તી એટલા માટે શ્રેષ્ઠ મનાય છે કે સામાન્ય હાથીઓ તેને