________________
૩૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ક્ષય થયા પછી ત્યાંથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં થઈ સિદ્ધ થશે. બુદ્ધ થશે, મુક્ત થશે પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખનો વિનાશ કરશે.ર૯ ધ ૨૯. ભગવાન મહાવીર તીર્થકરને ઉત્પન્નદર્શન-જ્ઞાનધર, જિન, કેવલી–સર્વજ્ઞ–સર્વદશી અને આકાશમાં અદ્ધર રહેલા છત્રયુક્ત ઈત્યાદિ સમવસરણ સુધીના વિશેષણ આપવામાં આવ્યા છે જેની યથાર્થતા આ પ્રમાણે છે –
ઉત્કૃષ્ટતમ જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ગૃહસ્થાશ્રમ એટલે કેધન-ધાન્ય–પુત્ર પરિવારાદિ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ, પુરુષવેદ, નીવેદ, નપુસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા,
ધ, માન, માયા અને લેભરૂપ આભ્યન્તર પરિગ્રહને સમૂલ ત્યાગ કરીને દીક્ષા લીધા પછી અતિ ઉત્કટ તપશ્ચર્યારૂપી અગ્નિમાં ભવ-ભવાન્તરના ઉપાર્જિત કર્મોરૂપી કાષ્ઠને બાળી જેમણે પોતાના આત્માની અન ત શક્તિને ઉદ્ઘાટિત કરી છે અને કેવળજ્ઞાન તથા કેવલદર્શનની માલિક બન્યા છે તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે. આ વિશેષણથી જેઓ સારી આત્મા, મુક્ત આત્મા અને નિત્ય આત્માને માનનારા છે, તેમનું ખડન થાય છે. કેમકે સમયે સમયે અવતાર ગ્રહણ કરીને બત્રીસ હજાર સ્ત્રીઓને પરણવા છતા, રાજ્યપાટને ભેગવવા માટે રણમેદાન ખેલનારા, પુત્ર-પુત્રીઓના પિતા બનનારા અર્થાત સંસારની માયામાં પૂર્ણ મસ્ત બનેલા અને ઠેઠ છેલ્લા શ્વાસ સુધી પણ જેઓ માયા છોડી શક્યા નથી, તે જીવાત્માઓ નિત્ય ઈશ્વર હોઈ શકતા નથી
કર્મબંધનની વ્યવસ્થા સર્વ જીવોને માટે એક સરખી છે સંસારી જીવને કર્મનું બધન થતુ હોય તે નિત્ય ઈશ્વર જેઓ સમયે સમયે અવતાર લે છે અને સંસારના ભોગ-વિલાસમાં અને