SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) * કાળગ્રહણ લેવામાં મારા પ્રાણસમા લઘુબંધુ ન્યાયપાઠી મુનિરાજશ્રી અરૂણવિજયજી મ. અને મહાતપસ્વી શ્રી શાન્તિચન્દ્રવિજયજીને મળેલ સહકાર જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ ભૂલાય તેમ નથી. ભગવતી સૂત્ર ઉપર કંઈક લખવું અને ગુરુદેવના કાર્યનું ચિરસ્મરણ રહે એવી ભાવના થતા મારા મનમાં નીચે મુજબના સંક૯પ હેઠ -સુધી રહ્યાં હતા અને આજે પણ વિદ્યમાન છે. ' (૧) અનધિકારી ચેષ્ટા થવા ન પામે તે માટે હું પૂરેપૂરેદ -જાગૃત હતો માટે જ એક વિષયને સ્પષ્ટ કરતા બીજા આગમને પણ મારે જેવા પડર્તા હતાં. માત્ર તે ઉદ્ધરણ ઘણા સ્થાને આપી શકો -નથી તેને મને રજ છે. ૬ (૨) અર્થગભીર આ સૂત્ર ઉપર કઈક લખવાનો પ્રયાસ કેવળ મારા મતિજ્ઞાનની તાજગી, શ્રુતજ્ઞાનની સ્કૂરણપૂર્વક સારા સ્વાધ્યાય -હુ યત્કિંચિત અશે માલિક બનું તેમજ મારા બાહ્ય અને અત્યંત દેષનું શમન થાય, ઈન્દ્રિયનુ દમન થાય, મિથ્યાત્વનું જોર ઘટે, કામ ક્રોધ આદિ દોષ શાન્ત થાય, તેમજ લેભ, પરિગ્રહ અને મૂરઈમાંથી મુક્ત થવા ભાગ્યશાળી બનું આ પ્રમાણે મારા જે દોષ ખ્યાલમાં રાખીને તે તે ભાવોને મેં આ વિવેચનમાં ઉપસાવ્યા છે. (૩) કઈ પણ વિષય, ચર્ચામાં ઉતરવા ન પામે તેવી પૂરેપૂરી તકેદારી રાખેલી હોવા છતાં પણ કયાંક હકિકત દોષ આદિ દેખાય તો વાચક વર્ગ ભાવદયાપૂર્વક મને જણાવશે તો મારા મતિજ્ઞાનને વિકાસ થશે અને શ્રુતજ્ઞાનમાં રહેલી મારી ભૂલે સુધરવા પામશે ઈત્યાદિક સંક૯પ ધ્યાનમાં લઈને પ્રારભ કરેલું મારૂ કામ આગળ વધતું ગયું અને છેવટે મારા કલ્યાણમિત્ર ઉદારમના મનસુખલાલભાઈ તારાચંદ મહેતાની સલાહ લઈને છાપકામની શરૂઆત કરી. અથ થી ઇતિ સુધીની તેમની સહાયતા, પ્રેસકામ માટે કરી
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy