SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ [ભગવતીસૂત્ર સારસંગ્રહ માસ્ક સાતમો ઘનવાત, સાતમે ઘનોદધિ, સાતમી પૃથ્વી, અને બધાં અવકાશાન્તરે જાણવા. આ પ્રમાણે નરયિકેને માટે કહેવામાં આવ્યું છે કે, તે ભારે હળવા છે અને અગુરુલઘુ–ભારે હળવા સિવાયના પણ છે. કારણ કે વૈકિય અને તૈજસ્ શરીરની અપેક્ષાથી ભારે નથી, હળવા નથી અને ભારે હળવા સિવાયના પણ નથી. પણ આત્મા અજ્ઞાન અને પ્રમાદના વશ થઈને અન્ય જીવોને ઘાત કરે છે, અર્થાત પ્રાણુઓને તેમના પ્રાણથી વિમુક્ત કરે છે તે પ્રાણાતિપાત નામનું પહેલું પાપ–સ્થાનક કહેવાય છે પ્રાધાનામतिपातः वा प्राणाः अतिपात्यन्ते येन दुष्प्रयुक्तेन मनसावचसा-कायेन इति प्राणातिपातः। * જૂવા-મૃષા એટલે અસત્ય અને વાદ એટલે બેલડું. અર્થાત્ પદાર્થ જે સ્વરૂપે છે તેનાથી વિપરીત બોલવું, તે અસત્ય ભાષણ ત્રણ પ્રકારે છે – ૧ સદ્ભાવ પ્રતિષેધ, ૨ અર્થાન્તર, ૩ ગવચન. આત્મા નથી, પરલોક નથી, પુણ્ય-પાપ નથી, મોક્ષ નથી અથવા અ ગૂઠા કે ચોખાના પ્રમાણ જેટલે આત્મા છે. આ પ્રમાણે અર્થાન્તર વચન બોલવા તે સભાવપ્રતિષેધ અને અભૂતક્ષાવન કહેવાય છે પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને તથા તેના અર્થને નિષેધ કરવો તે અર્થાન્તર નામે મિથ્યાવચન છે. હિસક, કઠોર, મર્મભેદક, પ્રાણધાતક, પશુન્યાત્મક આદિ વચનનો પ્રયોગ ગવચન છે. એટલે કે હિંસક ભાવાદિ કઈ કાળે પણ સત્યવચન હોઈ શકે નહિ સત્તાન-રાગદ્વેષને વશ થઈને ચેરી કરવાના ઈરાદથી પારકી વસ્તુ લેવી-છુપાવવી તે ત્રીજુ પાપસ્થાનક કહેવાય છે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy