________________
૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ • આપણે જોયું છે અને એ સ્વાભાવિક છે કે–ગુરુત્વ એ. અપ્રશસ્ત છે, અને લઘુત્વ એ પ્રશસ્ત છે. સંસારમાં અનંત પદાર્થો છે. તેમાં ઘણા ગુરુ છે અને ઘણું લઘુ છે, બલકે કેટલાક પદાર્થો ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે–
પત્થર એ ગુરુ છે, કારણ કે તેને નીચે જવાને સ્વભાવ છે, ધૂમાડે એ લઘુ છે, કારણ કે તેને ઊંચે જવાનો સ્વભાવ છે. વાયુ એ ગુરુ–લઘુ પદાર્થ છે, કારણ કે તેને તીરછL જવાને સ્વભાવ છે અને આકાશ એ અગુરુલઘુ દ્રવ્ય છે કારણ કે તેને તે સ્વભાવ છે.
આ પ્રકરણમાં લગભગ આ સંબંધી પ્રશ્નોત્તર છે. ઉપરાંત નિર્ચ શેને માટે શું પ્રશસ્ત છે, એ અને તેની સાથે બીજા મતવાળા તથા છેવટે પાર્શ્વનાથના વંશમાં થયેલા કાલાસ્યવેષ્ટિ–પુત્રને સ્થવિર અનગારા સાથેનો સંવાદ આપવામાં આવ્યા છે. જેનો સાર આ પ્રમાણે છે –
કઈ પણ જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, પ્રેમ, દ્વેષ, કલહ, કલંક આપવું, ચાડી ખા), અરતિરતિ, બીજાની નિંદા, કપટપૂર્વક જૂઠું બેસવુ અને અવિવેક-મિથ્યાદર્શનશલ્ય એના વડે ભારેપણુ પામે છે, અને તેથી ઉલટું પ્રાણાતિપાતાદિન અટકાવ કરવાથી યાવત્ વિવેકથી હલકાપણું પામે છે અને આજ કારણેથી એટલે પ્રાણાતિપાતાદિથી જીવ સંસારને વધારે છે, લાંબો કરે છે, અને સંસારમાં ભમ્યા કરે છે અને આ કારણથી નિવૃત્ત થવાથી જીવ સંસારને ઘટાડે છે, ટૂંકે કરે છે, અને