________________
શતક–૧ લું ઉદ્દેશક–૯] પરિભ્રમણ કરે છે. આત્માને માટે હળવાપણું, સંસારને એ છે ક–ટૂંક કર અને ઓળંગ, એ ચાર વસ્તુઓ પ્રશસ્ત છે, તેથી ઉલટુ ભારેપણું, સંસારને પ્રચુર કરે, લાંબો કરે, અને તેમાં રખડવું, એ ચાર અપ્રશસ્ત છે. શરીર મોક્ષમાર્ગે જોડાયેલું હતું, તે જ શરીર પુત્ર મોહને લીધે ચંચલ બન્યુ, હઠ ફફડવા લાગ્યા આમાં લાલશ આવી, ભ્રકુટિ ઉપર ચઢી, હાથની આંગળીઓ મુકીના રૂપમાં પરિણિત થઈ ગઈ માટે આ કાયિકી ક્રિયા થઈ
પુત્ર પ્રત્યેના મોહને લીધે ઉત્પન્ન થયેલ રાગ અને શત્રુઓ પ્રત્યેને દ્વેષ આ પ્રમાણે રાગ-દ્વેષ નામના ભાવ–શસ્ત્રો આ મુનિનાં હાથમાં આવી ચઢયાં અને મહામુનિ રાગ-દ્વેષમાં ગળાડૂબ ડૂબી ગયા. તેથી આધિકરણિકી ક્રિયા લાગી પોતાના પુત્રના દ્રવ્યશત્રુઓ પ્રત્યે આ મુનિરાજ અત્યન્ત દેપમાં લય પામીને માનસિક યુદ્ધ રમવા લાગ્યા તે પ્રાપિકી ક્રિયાના કારણે જ
" ' પિતાના પુત્ર ઉપર ખરાબ ભાવ રાખનારાઓ પ્રત્યે આ મહાતપસ્વી મુનિરાજની માનસિક વિચારધારાઓ બીજાઓને પરિતાપ ઉપજાવનારી હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ અને છેવટે જાણે એક એક શસ્ત્ર એક એક રાજાને મારવા માટે ફેકતા ગયા અને તેમની માનસિક કલ્પનામાં એક એક રાજે હણાતે ગયે. આ " માટે પ્રાણાતિપાતિકી ક્રિયાના માલિક પણ થયા બસ ! આ ભાવ ક્રિયાઓને લઈને મુનિરાજશ્રી પ્રસન્નચદ્રજી સાતમી નારકી સુધી પહોચી ગયા અને છેલ્લું શસ્ત્ર પકડવા માટે માથા ઉપર હાથ જતા પાછા ભાનમાં આવી ગયા અને પાચે ક્રિયાઓથી જેવા મુક્ત બન્યા કે તત્કાલ કેવલજ્ઞાનના માલિક બની મોક્ષમાં પહોંચી ગયા.