SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ભિગવતીસૂત્ર સારસંગ્રહ ઉપર જે બાલવીર્યતાદિ ભેદ બતાવવામાં આવ્યા છે, • પણ દર્શનાવરણયકર્મ સત્તામાં તે હોય જ છે. પણ સુખમાં મસ્ત બનેલા દેને તથા દુખમા નિમગ્ન બનેલા નારકેને નિદ્રાનો ઉદય મનુષ્ય તથા તિર્ય ની અપેક્ષાએ ડે હોય છે. હવે પરને લઈને કર્મો આ પ્રમાણે ઉદયમાં આવે છે, જેમકે –કોઈ માણસ આપણા ઉપર પત્થર કે લાકડું ફેંકે અથવા તલવાર કે લાકડી લઈને આપણા ઉપર હુમલો કરે ત્યારે આપણને અસાતા અને ક્રોધને ઉદય થઈ આવે છે. તે હવે કેટલાક કર્મો પુદ્ગલેના પરિણામથી ઉદયમાં આવે છે. જેમ ભજન કરવાના સમયે ખાધેલું અન્ન નહીં પચવાના કારણે અજીર્ણ થઈ જવાથી તાવ, ઉધરસ, વમન તથા ઝાડા આદિ થવારૂપ અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે. કયા કર્મને કેવા પ્રકારે રદય હોય છે ? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-જ્ઞાનાવરણીય, કર્મને દશ પ્રકારે રદય હોય છે. એટલે કે આ કર્મને ઉદયકાળ વર્તતે હોય છે ત્યારે દશ પ્રકારે ફળ ભેગવવા પડે છે તે આ પ્રમાણે - : - , ૧ શ્રોત્રાવરણ શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય * * ૨ ચક્ષુરાવરણ ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય * * ૩ ઘાણાવરણ ધ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય ૪ રસનાવરણ રસનેન્દ્રિય જ્ઞાનાવરણીય ૫ સ્પર્શાવરણ સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય અહીં શ્રોત્રાવરણ, ચક્ષુરાવરણ, ઘાણાવરણ, રસનાવરણ અને સ્પર્શાવરણ આ પાંચે દ્રવ્યેન્દ્રિય જાણવી અને બાકીની શ્રોન્દ્રિય
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy