________________
૪૪]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ વીર્યતાથી ઉપસ્થાન કરે. ઉપસ્થાન એટલે પરલોક પ્રતિ ગમન. અહિ વીર્યતાના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. તેના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ આમિક અધ્યવસાને લઈને બધાતા કર્મો આઠ પ્રકારશ્ના હોય છે. તેના સ્વભાવે આ પ્રમાણે –
(1) નાનાવરણીય કર્મ–પદાર્થમાત્રમાં વિશેપ અને સામાન્યધર્મ
સમવાયને લઈને ભાડતી રૂપે નહિં પણ સ્થાયીરૂપે રહેવાવાલા સ્વત. સિદ્ધ ધર્મો છે. જેમકે આ ઘડો મોમાને છે, આ માટીને છે, આ અમદાવાદનો છે, આ લાલ રંગને ઘડે છે. આ વ્યક્તિ વિદ્વાન છે, આ અતિશય નાની છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થનું જાતિ, ગુણ, નામ વગેરેને લઈને જે નાન થાય છે, તે વિશેષ જ્ઞાન કહેવાય છે. ૫ ડિતેના–મહાપડિતાના મત-મતાન્તરરૂમ વિષચક્રને જવા દઈએ, તે એ અનત વિચિત્રતાથી ભરેલે આ સસાર સૌને માટે પ્રત્યક્ષ છે. જેમાં કેટલાક જીવો ઘણાજ અલ્પ
જ્ઞાનવાળા, કેટલાક અસ્પષ્ટ જ્ઞાનવાળા, કેટલાક મિથ્યાજ્ઞાનવાળા, - બુદ્ધિભ્રમવાળ, પૂર્વગ્રાપ્તિ જ્ઞાનવાળા અને કેટલાક યથાર્થજ્ઞાનેવાળા હોય છે જેમને આપણે સૌ પ્રત્યક્ષરૂપે અનુભવીએ છીએ
* આકાશમાં રહેલા ઓછા-વધતા વાદળાને લઈને સૂર્યને || * . પ્રકાશ જેમ મન્દ-મદતર અને મન્દતમ બને છે. તેમ આત્માનાં : સહજ સિદ્ધ જ્ઞાનગુણને ઢાંકનાર જ્ઞાનાવરણીયકર્મ છે. આંખ
ઉપર પાટે બાઘેલે માણસ જેમ કઈપણ જોઈ શકતા નથી,
તેમ આ કર્મને લઈને જ આત્માને વિશેષ જ્ઞાન થવામાં - અવધ ઉભો થાય છે ૨) દર્શનાવરણીયકર્મ—છે