________________
૨૪૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
જેમાં પિતાને ઉપકારી ગુરૂદેવ શ્રીજિનચંદ્રસૂરિજીની મૂર્તિ સ્થાપિત કરી, (૨) ઝવેરીવાડના ચૌમુખજીની પળમાં શ્રી શાંતિનાથજીનું ચૌમુખ મંદિર, જેને જીર્ણોદ્ધાર સં. ૧૯૨૦માં ઝવેરી શ્રી મોહનલાલ મગનભાઈના પિતા મગનભાઈ હકમચંદે કરાવ્યો હતો. (૩) હાજા પટેલની પિળના ખુણામાં શ્રી શાંતિનાથજીનું મંદિર. - ગિરિરાજ શ્રીસિદ્ધાચલજી પર “ખરતર વસહી” માં ચૌમુખજીના મંદિરનું નિર્માણ કરાવ્યું, જેમાં ૫૮ લાખ રૂપિયા ખર્ચ થી ૪
આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાંજ એમને સ્વર્ગવાસ થઈ જવાથી એમજીના પુત્ર રૂપજીએ સં. ૧૬૭૫ માં શ્રીજિનરાજસૂરિજીના કરકમળે પ્રતિષ્ઠા કરાવી. - શેઠ સમજી શિવાજીનું સ્વધર્મી વાત્સલ્ય ખૂબ પ્રશંસનીય
અને અનુકરણીય હતું, જેનું એક ઉદાહરણ નીચે દેવાય છે. - એક વખત કેઈ અજાણ્યા સ્વધર્મ બંધુએ વિપત્તિને સમયે
એમના ઉપર સાઠ હજાર રૂપિયાની હુંડી કરી નાંખી. જ્યારે હુંડી વટાવવા માટે એમની પાસે આવી ત્યારે એમનાં મુનીમ ગુમાસ્તા આદિ કર્મચારીઓએ તમામ ખાતા જોઈ નાંખ્યા, પણ હુંડી કરવાવાળાનું ક્યાંય નામ નહોતું. ત્યારે વિલક્ષણ
બુદ્ધિશાળી અને અનુપમ ઉદાર વૃત્તિધારક એમજીએ એ હુંડીને . * મીરાં, તે અહમદીમાં લખ્યું છે કે આ મંદિર બનાવવામાં ૫૮૦૦૦૦૦) રૂપિયા ખર્ચ થયે, કહે કે ૮૪૦૦૦) રૂપિયાની તે કેવળ રસી–ડોરિજ લાગેલી. મંદિરની વિશાળતા અને સુંદરતા જોતાં જરાય સંદેહ નથી આવતો.